[૩૭૭] મુઅતકિફ મસ્જિદમાં કાંસકી કરી શકે

Chapter : રોઝહ

(Page : 439-440)

સવાલ :– અમારે ત્યાં એક માણસ હમેશા મસ્જિદના જમાઅત ખાનામાં દાઢીમાં કંગી કરે છે તો જમાઅતખાનામાં કંગી કરવું કેવું  છે? એક માણસનું કહેવું છે કે મના છે. તો અસલ સહીહ હુકમ જણાવશો અને મુઅતકિફ માટે મસ્જિદમાં કંગી કરવાનો હુકમ પણ જણાવશો.

જવાબઃ– શરઈ મસ્જિદમાં એટલે કે જમાઅતખાનામાં દાખલ હોય તેવા ભાગમાં મુઅતકિફ માણસે દાઢીમાં અથવા માથામાં કંગી કરવી જાઈઝ છે, પરંતુ  દાઢી અથવા માથાના વાળ મસ્જિદમાં ન પડવા જોઈએ, બલ્કે કોઈ ચાદર અથવા રૂમાલમાં વાળ પડે એ પ્રમાણે કંગી કરવી જોઈએ તાકે કંગીના કારણે તૂટેલા વાળ મસ્જિદમાં પડવા અને ઉડવાથી મસ્જિદની  બેઅદબી ન થાય અને કપડામાંથી ભેગા કરીને તેને યોગ્ય જગ્યાએ દફન કરી શકાય.         (ફ. મહમૂદિય્યહ : ભા. ૧ / ૪૮૧)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એઅ્‌તિકાફની હાલતમાં મસ્જિદમાં મુકીમ હોય ત્યારે મસ્જિદમાં જ રહીને પોતાનું સર મુબારક એ હેતુથી મસ્જિદથી બહાર કાઢીને હઝરત આઈશા (રદિ.)થી નઝદીક ફરમાવતા કે હઝરત આઈશા (રદિ.)તેમાં કંગી કરી આપે.                    (મુસ્લિમ શરીફ ભા. ૧ / ૧૪ર)

Log in or Register to save this content for later.