[૩૭૪] દરેક મહોલ્લાની મસ્જિદમાં એઅ્‌તિકાફ સુન્નત અલલ્‌ કિફાયહ છે

Chapter : રોઝહ

(Page : 436-437)

સવાલઃ– શહેરના દરેક મહોલ્લાની મસ્જિદમાં રમઝાન મુબારકના આખરી અશરહનો એઅ્‌તિકાફ કરવો મહોલ્લાવાસીઓ માટે  સુન્નત અલલ્‌ કિફાયહ છે કે નહિ ? કે પછી પૂરા શહેરની કોઈ એક  મસ્જિદમાં પણ એઅ્‌તિકાફ કરવાથી બધા જ શહેરવાસીઓની સુન્નતે કિફાયહ અદા થઈ જશે ? અને કોઈ મહોલ્લામાં  જુમ્અહ મસ્જિદ હોય તો તે મહોલ્લાના લોકોએ તે મસ્જિદમાં આ સુન્નતે મુઅક્‌કદહ અલલ્‌ કિફાફહ એઅ્‌તિકાફ કરવો જોઈએ કે નહિ ?

જવાબઃ– રમઝાન મુબારકના પૂરા આખરી અશરહનો એઅ્‌તિકાફ શહેરના દરેક મહોલ્લાની મસ્જિદમાં કમ થી કમ એક માણસે કરવો સુન્નતે મુઅક્‌કદહ અલલ્‌ કિફાયહ છે, જો પૂરા મહોલ્લામાંથી કોઈ એક માણસ પણ મહોલ્લાની મસ્જિદમાં રમઝાન મુબારકના છેલ્લા પૂરા અશરહ માટે એઅ્‌તિકાફમાં નહિ બેસે તો તમામ મહોલ્લા વાસીઓને સુન્નતે મુઅક્‌કદહ છોડવાનો ગુનાહ અને વબાલ લાગુ પડશે અને જો ફકત કોઈ એક માણસ પણ પૂરા અશરહનો સુન્નત એઅ્‌તિકાફ કરી લેશે તો મહોલ્લાના બધા લોકો તરફથી આ સુન્નતે મુઅક્‌કદહની અદાયગી પૂરતી ગણાશે અને સુન્નત છોડવાના ગુનેહગાર નહિ ઠરે અને એઅ્‌તિકાફ કરનાર માણસને સુન્નતે મુઅક્‌કદહ અદા કરવાનો સવાબ મળશે અને  બધા મહોલ્લાવાસીઓને સુન્નતે કિફાયહ છોડવાના વબાલથી બચાવવાનો પણ સવાબ મળશે.

                જે મહોલ્લામાં જામિઅ મસ્જિદ હોય તો તે મહોલ્લાના લોકોએ જામિઅ મસ્જિદમાં એઅ્‌તિકાફ કરવો સુન્નતે કિફાયહ છે અને મઝકૂર મહોલ્લાવાળાઓ માટે જામિઅ મસ્જિદમાં એઅતિકાફ કરવાની વધુ ફઝીલત છે, જો મહોલ્લાવાળાઓમાંથી કોઈ એક માણસ પણ જામિઅ મસ્જિદમાં એઅ્‌તિકાફ નહિ કરે તો બધા મહોલ્લાવાસીઓ સુન્નતે મુઅક્‌કદહ છોડવાના ગુનેહગાર ઠરશે અને બધા જ મહોલ્લા વાસીઓના શિરે એ વાતનો વબાલ રહેશે.        (શામીઃ ર/૧ર૯, અહ. ફતાવા–૪)

                જો કોઈ મહોલ્લાની મસ્જિદમાં આ સુન્નતે મુઅક્‌કદહ કિફાયહ છૂટી જાય અને કોઈ એક માણસ પણ એઅ્‌તિકાફ ન કરે તો આ સુન્નતે મુઅક્‌કદહ છૂટવા બદલ બધા મહોલ્લાવાસીઓએ તવબહ ઈસ્તિગફાર કરવા જોઈએ અને હવે પછી આ સુન્નતે કિફાયહ છૂટવા ન પામે એ વાતની ફિકર રાખવી જાઈએ.

Log in or Register to save this content for later.