[૩૭ર] મસ્નૂન એઅતિકાફમાં નમાઝે જનાઝહ કે બીમાર પુર્સી માટે નીકળવાની નિય્યત ન કરી શકાય

Chapter : રોઝહ

(Page : 434-435)

સવાલઃ– કોઈ માણસે રમઝાનુલ મુબારકના અશ્રએ અખીરહનો એઅતિકાફ એવી નિય્યત સાથે કર્યો કે અગર મસ્જિદના પટાંગણમાં જનાઝહની નમાઝ માટે જનાઝો આવશે તો નમાઝે જનાઝા અદા કરવા નીકળીશ અથવા કોઈ બીમાર પડશે તો તેની બીમાર પુરસી કરવા જઈશ. હવે મસ્જિદના પટાંગણમાં જનાઝો આવ્યો અથવા કોઈ બીમાર પડયું તો આ માણસ પોતે કરેલી નિય્યત મુજબ ઉપરોકત કામો માટે મસ્જિદમાંથી નીકળી શકશે કે નહિ ? અને ઉપરોકત નિય્યત મુજબના કામો કયા પ્રકારના એઅ્‌તિકાફમાં કરી શકાય છે ?

જવાબઃ– એઅ્‌તિકાફના ત્રણ પ્રકાર છે

(૧) મન્નતનો વાજિબ એઅ્‌તિકાફ, (ર) રમઝાન મુબારકના આખરી અશરહનો સુન્નતે મુઅક્‌કદહ એઅ્‌તિકાફ , (૩) નફલ એ્‌અતિકાફ.

                આ ત્રણ પ્રકારમાંથી મન્નત એઅ્‌તિકાફ અને નફલ એઅ્‌તિકાફ કરતી વખતે જનાઝાની નમાઝ અને બીમારની બીમાર પુરસી માટે નીકળવાની નિય્યત કરવી જાઈઝ અને દુરૂસ્ત છે, અને નિય્યત મુજબ મઝકૂર કામ માટે નીકળવું પણ જાઈઝ છે. અલબત્ત, મન્નત એઅ્‌તિકાફમાં મઝકૂર કામો માટે નીકળવાની માત્ર દિલમાં નિય્યત કરવી પૂરતી નથી. બલ્‌કે એઅ્‌તિકાફની મન્નતની જેમ મઝકૂર કામો માટે નીકળવાની શર્તને પણ મોઢેથી બોલવી ઝરૂરી છે.

                રમઝાન મુબારકના આખરી અશરહના સુન્નતે મુઅક્‌કદહ એઅ્‌તિકાફમાં નમાઝે જનાઝા અથવા બીમાર પુરસી માટે નીકળવાની નિય્યત કરવી દુરૂસ્ત નથી. કારણ કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી સુન્નત એઅ્‌તિકાફમાં આ પ્રમાણે નીકળવાની નિય્યત સાબિત નથી અને ફિકહની કોઈ કિતાબમાં પણ મસ્નૂન એઅ્‌તિકાફમાં આવી નિય્યતના દુરૂસ્ત હોવાનું કોઈ વર્ણન નથી. માટે જો કોઈ માણસ રમઝાન મુબારકના આખરી અશરહનો સુન્નત એઅ્‌તિકાફ શરૂ કરતી વખતે આ પ્રમાણે નમાઝે જનાઝા અથવા બીમાર પુરસી માટે નીકળવાની નિય્યત કરશે તો તેનો એઅતિકાફ સુન્નતે મુઅક્‌કદહ તરીકે બાકી નહિ રહે, બલ્‌કે તેનો એઅ્‌તિકાફ નફલ એઅ્‌તિકાફ થઈ જશે અને તેને સુન્નત એઅ્‌તિકાફનો સવાબ પણ નહિ મળે, ફકત નફલ એઅ્‌તિકાફનો સવાબ મળશે અને નમાઝે જનાઝહ તથા બીમાર પુરસી માટે જેટલો સમય મસ્જિદથી બહાર રહેશે તેટલો સમય એઅ્‌તિકાફમાં નહિ ગણાય.  (દરસે તિરમિઝી ૬૪પ ભા. ર)

”અહસનુલ ફતાવા” માં લખેલું છે કે એઅ્‌તિકાફકી નઝરમેં નમાઝે જનાઝહ, ઈયાદતે મરીઝ ઔર મજલિસે ઈલ્મમેં હાઝરી કે લિયે ખુરૂજકા ઈસ્તિસ્ના સહીહ હે ઔર નિકલના જાઈઝ હૈ બશર્તે કે નઝરકી તરહ ઈસ્તિસ્ના ભી ઝુબાનસે કીયા હો, સિર્ફ દિલકી નિય્યત કાફી નહીં, મગર મસ્નૂન એઅતિકાફમે યે નિય્યત કી તો વો નફલ હો જાએગા, સુન્નત અદા ન હોગી.                      (ભા. ૪/૪૯૯ )

Log in or Register to save this content for later.