[૩૬૯] સુન્નત એઅતિકાફમાં હૈઝ શરૂ થાય

Chapter : રોઝહ

(Page : 430-431)

સવાલ :– એક ઓરતે રમઝાનના આખરી અશરહમાં સુન્નતે મુઅક્‌કદહ એઅતિકાફ કર્યો તે દરમ્યાન માહવારી (હૈઝ) શરૂ થયું. તો આ બાબતે પૂછવાનું એ કે શું તેણીનો એઅતિકાફ તૂટી જઈ કઝા લાગુ પડશે? અને જો એઅતિકાફ તૂટી જાય તો તેણી મોઅતકફમાં જ રહી વખત પૂરો કરે કે પછી મોઅતકફમાંથી બહાર નીકળી જાય? અને જો કઝા લાગુ પડતી ના હોય અને માહવારી ત્રણ ચાર દિવસ આવી બંધ  થઈ ગયું મતલબ કે અશરહએ અખીરહ પૂરો થતાં પહેલાં જતુ રહયું તો પછી માહવારીના દિવસો એઅતિકાફના દિવસોમાં ગણાશે કે કેમ? અને જો એઅ્‌તિકાફ તૂટી જઈ કઝા લાગુ પડે તો તેની કઝા સાથે રોઝા રાખવા પડે કે કેમ?

જવાબ :–  એઅ્‌તિકાફ માટે ઓરતનું હૈઝ નિફાસથી પાક હોવુ શર્ત છે. એઅ્‌તિકાફે મસનૂનની હાલતમાં હૈઝ આવવાથી એઅતિકાફ તૂટી ગયેલો ગણાશે અને હૈઝથી પાક હોવાની શર્ત બાકી ન રહેવાથી હવે આ હાલતમાં એઅ્‌તિકાફમાં બાકી રહેવું જાઈઝ નથી. એઅતિકાફ છોડી આપવો જાઈએ અને તેણી પર તે દિવસના એઅ્‌તિકાફની કઝા લાગુ પડશે જે દિવસે તેને માહવારી આવવું શરૂ થયું છે અને તેની કઝા કરવાનો તરીકો આ છે કે જયારે પાક થાય ત્યારે રમઝાનની એક રાત – દિવસ બાકી હોય તો તે દિવસે પણ કઝા કરી શકે છે અને જયારે હૈઝના દિવસોના રોઝાઓની કઝા કરે ત્યારે પણ ગુરૂબે આફતાબથી બીજા દિવસના ગુરૂબે આફતાબ સુધી કઝાના રોઝાની હાલતમાં એક દિવસની કઝા કરી શકે છે અને જો કઝા રોઝાના દિવસોમાં એઅ્‌તિકાફ નહિ કરે તો અલગથી એક દિવસનો રોઝો રાખી કઝા કરવી પડશે અને પાક થયા પછી કઝાના એક દિવસ સિવાય બીજા દિવસોનો એઅ્‌તિકાફ ઝરૂરી નથી, પરંતુ બાકીના દિવસોમાં નફલ એઅ્‌તિકાફ કરી શકે છે.      (બદાઈઅ–ર, બિહશ્તીઝેવર –૩)

Log in or Register to save this content for later.