Chapter : રોઝહ
(Page : 426)
સવાલ :– રમઝાન શરીફમાં એક મહિનાનો એઅ્તિકાફ કરે તે માણસ ફર્ઝ ગુસલ વગર ગુસલ કરી શકે છે કે નહિ?
જવાબઃ– રમઝાનમાં પૂરા મહિનાનો એઅ્તિકાફ કરનાર માણસે જો પૂરા મહિનાના એઅ્તિકાફની મન્નત ન માની હોય તો પહેલા બે અશરહ (વીસ દિવસ) નો એઅતેકાફ નફલ ગણાશે, જેમાં તે સુન્નત ગુસલ અને સફાઈ ત્થા ઠંડકના ગુસલ માટે નિકળી શકે છે અને રમઝાનના ત્રીજા અશરહ (છેલ્લા દસ દિવસ) નો એઅ્તિકાફ સુન્નતે મુઅક્કદહ છે જેમાં તે ફર્ઝ ગુસલ સિવાય અન્ય ગુસલ માટે નહિ નિકળી શકે, અલબત્ત, જો મન્નતના એઅ્તિકાફમાં પહેલેથી એવી નિય્યત કરી હોય કે સુન્નત ગુસલ માટે નિકળીશ, તો તે માટે નિકળી શકે છે. (શામી–ર,આલમગીરી)
Log in or Register to save this content for later.