[૩૬૧] મહિનાના એઅ્‌તિકાફમાં ગુસલનો હુકમ

Chapter : રોઝહ

(Page : 423-424)

સવાલ :–એક માણસ એઅ્‌તિકાફની હાલતમાં હોય તો તેનાથી સુન્નત ગુસલ થઈ શકતું નથી, પરંતુ મુઅતકિફ માણસે એક મહિનાનો એઅ્‌તિકાફ કર્યો હોય અને એની ફિતરી આદત દરરોજ ગુસલ કરવાની હોય અને જો બે ચાર દિવસ સુધી ગુસલ ન કરે તો પરેશાન હાલ થઈ જતો હોય, તો હવે આ માણસ એઅ્‌તિકાફની હાલતમાં ગુસલ કરી શકે કે કેમ?

જવાબ :– એવા માણસ માટે બહેતર એ છે કે દસ દસ દિવસનો  એઅ્‌તિકાફ કરે અને એક દસકાનો એઅ્‌તિકાફ પૂરો થયા પછી બહાર નીકળી ગુસલ કરી લે. બીજી સુરત એ છે કે પહેલા બે અશરહનો નફલ એઅ્‌તિકાફ કરે, તેમાં બેસતા પહેલાં એવી નિય્યત કરીને બેસે કે દર ચાર – પાંચ દિવસે ગુસલ કરવા નીકળીશ અને આખરી અશરહમાં એવી નિય્યત ન કરે, નહિ તો સુન્નત એઅ્‌તિકાફ અદા નહિ થાય, ત્રીજી સૂરત એ છે કે પેશાબ પાખાનાં વખતે જાય ત્યારે ઢેલાથી ઈસ્તિન્જો કરી પાણીનાં ઈસ્તિન્જા માટે ગુસલખાનામાં જાય, જો ત્યાં પાણી ચાલું હોય તો જલ્દી જલ્દી પૂરા બદન પર પાણી નાંખી લે અથવા પેશાબ માટે પણ ગુસલખાનામાં જઈ પાણીની સગવડ હોય તો જલ્દી જલ્દી બદન પર પાણી નાંખી લે.

(ફ. મહમૂદિય્યહ ભા.૩/ અ. ફતાવા ભા.૪)

Log in or Register to save this content for later.