Chapter : રોઝહ
(Page : 422-423)
સવાલ :– રમઝાનનો અશરએ અખીરહનો એઅ્તિકાફ એ નિય્યત સાથે કર્યો કે અગર મસ્જિદમાં જનાઝો આવશે તો નમાઝે જનાઝા અદા કરીશ અથવા કોઈ બીમાર પડશે તો બીમારપુરસી કરવા જઈશ. હવે મસ્જિદમાં જનાઝો આવ્યો અથવા કોઈ બીમાર પડયું તો ઉપરોકત નિય્યત મુજબના કાર્યો કરી શકાશે કે નહિ? ઉપરોકત નિય્યત મુજબના કાર્યો કયા પ્રકારના એઅ્તિકાફમાં મુઅતકીફ કરી શકે એ દર્શાવશો.
જવાબ :– અહસનુલ ફતાવા પેજ – ૪૯૯ ભાગ ચોથામાં છે કેઃ–
એઅ્તિકાફ કી નઝરમેં નમાઝે જનાઝહ, ઈયાદતે મરીઝ ઔર મજલિસે ઈલ્મમેં હાઝરી કે લિયે ખુરૂજકા ઈસ્તિસ્ના સહીહ હે ઔર નિકલના જાઈઝ હે બશર્તે કે નઝર કી તરહ ઈસ્તિસ્ના ભી ઝુબાન સે કિયા હો, સિર્ફ દિલકી નિય્યત કાફી નહીં મગર મસનૂન એઅ્તિકાફ મેં નિય્યત કી તો વો નફલ હો જાયેગા સુન્નત અદા ન હોગી મસનૂન એઅ્તિકાફ વો હે (જિસ્મેં કોઈ ઈસ્તિસ્ના ન કિયા હો) ઉસ્મેં નિકલના મુફસિદ હે. (અહ. ફતાવા ભા.૪)
ઉપરોકત ફતાવાથી માલૂમ પડે છે કે અશરએ અખીરહના મસનૂન એઅ્તિકાફમાં ચાહે જનાઝહમાં શરીક થવાની અથવા બીમારની ઈયાદતની નિય્યતથી બેઠો હોય તો પણ નીકળવું અને એ પ્રમાણેની નિય્યત કરવી દુરૂસ્ત નથી. અલબત્ત, જો વાજિબ એઅ્તિકાફની મન્નતમાં મઝકૂર બે વસ્તુઓને મોઢેથી બોલીને બાકાત રાખવામાં આવી હોય તો નીકળી શકે છે, એવી રીતે નફલ એઅ્તિકાફમાં પણ નીકળી શકે છે, પરંતુ નફલ એઅતિકાફમાં પણ મઝકૂર કામો માટે નીકળવાથી એઅ્તિકાફ પૂરો થઈ જાય છે, ફરી નફલ એઅ્તિકાફમાં બેસવું હોય તો નવેસરથી નિય્યત કરવી પડશે.
(શામી ભા.–ર)
Log in or Register to save this content for later.