Chapter : રોઝહ
(Page : 424)
સવાલ :– પરચા નંબર– ર માં હઝરત શાહ અ.અઝીઝ (રહ.)નો કોલ નકલ કર્યો છે તે બરાબર છે કે કેમ અને પાછલા પાનાં ઉપર કઝાએ ઉમરીની અદાયગી માટે જે સૂરત બતલાવી છે તે બરાબર છે?
જવાબ :– કઝાએ ઉમરીની જે રીત અને તેમાં સરળતાની જે સૂરતો લખી છે તે દુરૂસ્ત છે. તેમાં કોઈ વાંધો નથી, પરંતુ ”રબ્બીગ્ફિરલી” એક વખતના બદલે ત્રણ વખત કહેવામાં આવે. (શામી–ભાઃ૧) અને હઝરત શાહ અ.અઝીઝ દહેલ્વી (રહ.) તરફ જે મંતવ્યની નિસ્બત કરવામાં આવી છે તે દુરૂસ્ત નથી, બલ્કે તે મંતવ્ય હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)નું છે અને તે શાહ સાહેબે (રહ.) પોતાની તફસીરે અઝીઝીમાં આ પ્રમાણે નકલ ફરમાવ્યું છે કે ”લયલતુલ કદ્ર”لیلۃ القدر શબ્દમાં નવ અક્ષરો છે અને આ શબ્દ ”લયલતુલ કદ્ર” આ સૂરતમાં ત્રણવાર વર્ણન થયો છે અને જયારે ત્રણેવને નવથી ગુણાકાર કરીએ તો સત્તાવીસ થાય છે. (તફસીર અઝીઝી ફારસી –રપ૯)
Log in or Register to save this content for later.