[૩૬પ] સુન્નત એઅ્‌તિકાફની કઝા

Chapter : રોઝહ

(Page : 426-427)

સવાલ :– મને રમઝાન મુબારકનો પાંચ દિવસનો એઅ્‌તિકાફ છોડવા અને ત્રણ રોઝા કઝા કરવાથી કયો ગુનોહ થાય? અને તેને દુરૂસ્ત કરવાનો આસાન તરીકો શું છે? આવું જાણી બુઝીને કરવાથી શું ગુનોહ થાય છે?

જવાબ :– જો તમોએ રમઝાનના છેલ્લા દસ દિવસોનો મસ્નૂન એઅ્‌તિકાફ કર્યો હતો અને પાંચ દિવસ એઅ્‌તિકાફ કરી બાકી દિવસોનો એઅ્‌તિકાફ છોડી દીધો હતો તો કઝા કરવાની બે સૂરતો છે. પહેલી એ કે તમો નફલ રોઝા સાથે એક દિવસ એક રાતનો એઅ્‌તિકાફ કરી કઝા કરી લો, ગુરૂબથી પહેલાં એઅ્‌તિકાફ શરૂ કરવામાં આવે અને બીજા દિવસે રોઝો રાખી એઅ્‌તિકાફની કઝા કરવામાં આવે, અને બીજી સૂરત આ છે કે પૂરા ૧૦ દિવસના એઅ્‌તિકાફની રોઝો રાખી કઝા કરવામાં આવે અને રમઝાનના ૩ રોઝાઓની પણ કઝા કરવામાં આવે અને જાણી બુઝીને રોઝો છોડવો એ સખ્ત ગુનાહનું કામ છે, માટે તે ગુનાહથી તવબહ અને ઈસ્તિગફાર કરવામાં આવે                         (શામી – ર)

Log in or Register to save this content for later.