Chapter : રોઝહ
(Page : 406-407)
સવાલ :– કોઈ માણસે ત્રીસ રોઝાની મન્નત માની હોય, પરંતુ તે માણસ રોઝાના બદલામાં બીજુ કોઈ કામ કરી લે તો ઈજાઝત છે? ઈજાઝત હોય તો તે શું કામ કરે ?
જવાબ :– જયારે કોઈ માણસે ત્રીસ રોઝા રાખવાની મન્નત માની હોય અને તે માણસ રોઝા રાખવા શકિતમાન હોય તો મન્નત પૂરી કરવા તે માણલે ત્રીસ રોઝા રાખવા જ વાજિબ અને ઝરૂરી છે. રોઝાના બદલે બીજુ કોઈ કામ કરવું દુરૂસ્ત નથી અને બીજુ કોઈ કામ કરવાથી મન્નત અદા નહિ થાય. (શામી ભા.ર/૧ર૦, ભા.૩/૭૧)
Log in or Register to save this content for later.