Chapter : રોઝહ
(Page : 407-408)
સવાલ :– હું રોઝો રાખું અને કદાચ છાતીમાં દર્દ થઈ આવે, સખત દર્દ થાય, જરા પણ થોભાય નહિ તો નાની ગોળીઓ જીભ નીચે મૂકાય કે નહિ? હું રોઝો તોડી નાખું તો મને કફ્ફારો લાગુ પડશે? કફ્ફારો આપવો પડે કે નહિ? મારાથી રોઝા રખાય એમ નથી તો ફિદયો ચાલશે?
હું સહરી કરી લઉં અને કદાચ બે વાગ્યા સુધીમાં દર્દ થઈ આવે તો હું રોઝો ન રાખું તો ચાલે? નિય્યત મેં કરી નથી, નિય્યત કર્યા પછી રોઝો તોડી શકાય કે નહિ? કફ્ફારો લાગુ પડે?
જવાબ :– રોઝો રાખ્યા પછી બીમારી વધી જાય અને ગોળી લીધા વગર તકલીફ દૂર ન થાય તો ગોળી લેવા માટે રોઝો તોડવો જાઈઝ છે. આ સૂરતમાં કફ્ફારો લાગુ નહિ પડે, કઝા કે ફિદયો જ આપવો પડશે. (શામી –ર)
Log in or Register to save this content for later.