Chapter : રોઝહ
(Page : 403-404)
સવાલ :– ડોકટર કહે છે કે રોઝા રાખો પણ આંખોની તકલીફને કારણે પાણી પીવાનું ચાલુ રાખો. ઈસ્લામ આસાની અને બોઝ સહન થાય તેનું ધ્યાન રાખે છે, માફ પણ કરે છે, હરામ ચીઝ પણ મરી જવાની બીક હોય તો નાછુટકે ખાવાની રજા આપે છે, તમે તો મોલ્વી–મુફતી (ધર્મ શાસ્ત્રી) છો, એટલે શરીઅતની આજ્ઞાને અનુસરો જ, પણ તસવ્વુફ એકેશ્વરવાદીઓ તો માત્ર અલ્લાહ રાજી થાય અને ઈન્સાનનું દિલ (અંતરાત્મા) રાજી થાય તેનું ધ્યાન રાખે છે.
જવાબ :– રોઝાની હાલતમાં પાણી ના પી શકાય. જો ઈરાદાપૂર્વક પાણી પીવામાં આવે તો રોઝો તૂટી જાય છે, ચાહે બીમારીના કારણે પીવામાં આવે. ઈસ્લામ ખચિત, બોઝ અને તકલીફને ધ્યાનમાં લઈ હુકમ આપે છે, પરંતુ બીમાર માટે રોઝા બાબત હુકમની આસાની આ પ્રમાણે છે કે જો રોઝા રાખવાથી મઝકૂર બીમારી વધી જવાનો અથવા મોડેથી સારૂ થવાનો ખરેખર ભય હોય તો હાલ રોઝો છોડવાની ઈજાઝત આપે છે અને તે દિવસોના રોઝાની કઝા કરી લેવી વાજિબ છે જયારે રોઝાની શકિત પેદા થઈ જાય. (શામી – ર)
અલ્લાહની રઝામંદી અલ્લાહ તઆલાના આપેલા આદેશો અને આજ્ઞાઓનું પાલન કરવાથી જ મળી શકે છે, પોતાની મનેચ્છા અને સગવડ મુજબની પ્રવૃતિઓ કરવાથી રઝામંદી ન મળી શકે.
Log in or Register to save this content for later.