[૩૩૩] ગુપ્તાંગમાં તપાસ કરવાથી રોઝહનો હુકમ

Chapter : રોઝહ

(Page : 399-400)

સવાલ :–  જે ઓરત હામિલા હોય છે તેને તપાસવા માટે અમુક વખતે મર્દ ડોકટર કે ઓરત ડોકટર પોતાની બે આંગળીઓ પર ચીકણો પદાર્થ લગાવી તેને હામિલા ઓરતની  શર્મગાહમાં દાખલ કરે છે તો જો હામિલહ ઓરતને રોઝહની હાલતમાં આ પ્રમાણે તપાસવામાં આવે તો તેનો રોઝહ તૂટશે કે નહિ ?

જવાબ :– આંગળીઓ પર ચીકણો પદાર્થ લગાવી રોઝહની હાલતમાં તપાસવાથી હામિલા ઓરતનો રોઝહ તૂટી જશે અને ઓરતે ઝરૂરત ઉભી થતાં ઓરત ડોકટર પાસે જ ઉપાય કરાવવો જોઈએ, ઝરૂરત વગર મર્દ ડોકટર પાસે ઈલાજ કરાવવાથી બચવું જોઈએ. (બદાઈઅ ર૪૪ ભા. ર / શામી ૯૯ ભા. ર /પ)

Log in or Register to save this content for later.