Chapter : રોઝહ
(Page : 394-398)
સવાલ :– રોઝહના મસાઈલમાં એવું જોવા મળેલ છે કે રોઝહની હાલતમાં કાનમાં ટીપાં નાખવાથી રોઝહ તૂટી જાય છે અને આંખમાં ટીપાં નાખવાથી રોઝહ તૂટતો નથી.
હવે ઉપરોકત મસ્અલહના સંદર્ભમાં જણાવવાનું કે કાનમાં પડદો આવેલો હોય છે, જે આ સાથે મોકલેલી છપાયેલી આકૃતિનો અભ્યાસ કરવાથી સમજી શકાય છે અને આ પડદાના કારણે કાનમાં નાંખેલાં ટીપાં દિમાગમાં કે ગળામાં પહોંચી શકતા નથી. હા, જે માણસના કાનના પડદામાં કાણું હોય તેના કાનમાં નાખેલા ટીપાં ગળામાં જઈ શકે છે, જયારે આંખમાં ટીપા નાખવાથી તે નળી દ્વારા નાકમાં અને ત્યાર બાદ નાકમાંથી ગળામાં પહોંચી શકે છે, જે સાથેની આકૃતિમાં બતાવવામાં આવેલ છે. તો આ બાબત તબીબી તહકીકની દ્રષ્ટિએ કાનમાં ટીપાં નાખવાથી રોઝહ ન તૂટવો જોઈએ. સિવાય એ કે કાનના પડદામાં કાણું પડેલું હોય. આંખમાં ટીપાં નાખવાથી રોઝો તૂટી જવો જોઈએ. આ બાબતે શરઈ દ્રષ્ટિએ માર્ગદર્શન આપવા મહેરબાની ફરમાવશો.
જવાબ :– સામાન્ય રીતે મસાઈલની અરબી, ઉર્દુ અને ગુજરાતી કિતાબોમાં મસ્અલો આ પ્રમાણે જ લખવામાં આવ્યો છે કે કાનમાં દવાના ટીપાં નાખવાથી રોઝહ તૂટી જાય છે અને આંખમાં દવાના ટીપાં નાખવાથી રોઝહ તૂટતો નથી. (શામી – ર/૯૮/૧૦ર)
તમે જયારે આ સવાલો જુન ઈ.સ. ર૦૦૦ માં મૌખિક પૂછયા હતા અને તમારી સામે આપના ઈલાકાના ઉલમા અને મુફતીઓ સાથે આ સવાલો બાબત વાતચીત થઈ ત્યારે અહકરે મૌખિક રીતે હિદાયહ કિતાબનો હવાલો આપી કહયું હતું કે આવી બાબતોથી રોઝહ તૂટવા ન તૂટવા વિશે આ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે મોઢા અને નાક સિવાય માણસના શરીરના અન્ય કાણાંરૂપી અંગોમાં કોઈ વસ્તુ જવાથી રોઝહ તૂટવા ન તૂટવાનો આધાર ફુકહાએ કિરામની નજરમાં અંગ શાસ્ત્રમાં વર્ણન કરેલી અંગોની રચના અને વિગત ઉપર છે. જે કાણાંરૂપી અંગોનો સીધો સંર્પક અને સંબંધ પેટ અને દિમાગથી હોય, તેમાં બહારથી કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝહ તૂટી જાય છે અને કાણાંરૂપી જે અંગોનો સંબંધ પેટ અને દિમાગથી નથી, તેમાં કોઈ વસ્તુ દાખલ કરવાથી રોઝો તૂટતો નથી.
(બદાઈઅ ર૪૩ ભા.ર/ હિદાયહ અવ્વલૈન)
ફિકહની કિતાબોમાં અત્યાર સુધી જે મસ્અલો લખવામાં આવ્યો છે કે કાનમાં દવા નાખવાથી રોઝહ તૂટી જાય છે, તે અંગ શાસ્ત્રીઓની જુની તહકીકના આધારે લખવામાં આવ્યો છે કે કાનનો પેટ સાથે જોડાયેલી નળી સાથે સીધો સંબંધ છે અને કાનમાં નાખવામાં આવતી વસ્તુ સીધી તે નળીમાં જાય છે.
પરંતુ હવે જયારે કે તમારી મોકલેલ કાનની છપાયેલી આકૃતિ મુજબ માહિર અંગ શાસ્ત્રીઓ અને મુસ્લિમ ડોકટરોના અભિપ્રાય મુજબ કાન અને પેટ સાથે જોડાયેલી નળી વચ્ચે કાનના પડદાની આડ છે અને કાનમાં નાખવામાં આવતી દવા પેટ સાથે જોડાયેલી નળીમાં જઈ શકતી નથી, એ સિવાય કે કાનના પડદામાં કાણું પડી ગયું હોય, તો આ નવી તહકીક અને સંશોધનના આધારે કાનમાં પાણી કે દવા નાખવાથી રોઝહ નહિ તૂટે, અલબત્ત જે માણસના કાનનો પડદો કોઈ કારણસર કાણો થઈ ગયો હોય તો તેના કાનમાં દવા નાખવાથી રોઝો તૂટી જશે, કારણ કે તેવા માણસના કાનમાં દવા નાખવાથી દવા પેટ સાથે જોડાયેલી નળીમાં દાખલ થઈ જશે.
અલહમ્દુલિલ્લાહિ તઆલા કે જામિઅહ દારુલ ઉલૂમ કરાંચીની ”મજલિસે તહકીકે મસાઈલે હાઝિરહ” ના શાબાન ૧૪રર હિ. સ.માં આયોજિત ઈજલાસમાં આ મસ્અલહ બાબત ચર્ચા થઈ હતી અને ચર્ચા વિચારણા ત્થા કિતાબોના અભ્યાસના અંતે જે નિર્ણય લેવામાં આવ્યો હતો, તે નિર્ણયથી પણ આપને આપેલ મૌખિક જવાબને સમર્થન મળે છે, માટે આ મસ્અલહ બાબત મઝકૂર મજલિસની ચર્ચા અને નિર્ણયનો અમુક ભાગ નકલ કરું છું.
”મગર અબ એક અર્સે સે તમામ અતિબ્બાઅ ઔર તશરીહે અબદાન કે તમામ માહિરીન ઈસ બાત પર મુત્તફિક હેં કે કાન કે અંદર સે દિમાગ તક કોઈ રાસ્તા મવજૂદ નહીં હે ઔર ઈસ બાત પર ભી સારે અતિબ્બાઅ ઔર માહિરીન મુત્તફિક હેં કે આમ સિહતમંદ આદમી કે કાનસે હલક તક ભી કોઈ ઐસા રાસ્તા ખુલા હુવા નહીં હેં કે જિસસે દવા યા પાની હલકમેં ખૂદબખૂદ જા સકે, કયૂંકે કાન કે અખિરમેં એક બારીક મગર મઝબૂત પર્દા હે જિસને હલક યા દિમાગ કી તરફ જાનેકા રાસ્તા મસ્દૂદ કિયા હુવા હે, ઔર આમ હાલાત મેં કાનમેં ડાલી જાનેવાલી કોઈ ભી દવા યા ગિઝા હલક તક નહીં જાતી ઈલ્લા યે કે કિસીકે કાનકા પર્દા ફટ જાએ યા કાનકે પર્દેમેં વાઝિહ સૂરાખ હો જાએ તો ઐસી બીમારી યા ગેર મઅમૂલી સૂરતે હાલમેં દવા અંદરૂની કાન સે હલક કી તરફ મુન્તકિલ હો સકતી હે, વરના નહીં.
ઉધર યે બાત ભી બદીહી હે કે બેહોશી ઔર બીમારીકી બા’ઝ સૂરતોંમેં દવા ઔર ગિઝા નાકકે રાસ્તે ટયૂબકે ઝરીએ મેઅદે તક પહોંચાઈ જાતી હે, જિસકા મુશાહદહ હસ્પતાલ વગેરહમેં હોતા હે, લેકિન કાનકે ઝરીએ ગિઝા યા પાની હલક યા મેઅદે તક પહોંચાનેકી કોઈ સૂરત આજ તક ન દેખી ગઈ, ન સુની ગઈ. ઈસસે ભી યે બાત વાઝિહ હોતી હે કે કાનસે હલક તક કોઈ મનફઝ મવઝૂદ નહીં.
”ઈન તમામ ઉમૂર પર ગૌર કરને કે બાદ ” મજલિસે તહકીકે મસાઈલે હાઝિરહ” ઈસ નતીજે પર પહોંચી હે કે કાનકે અંદર પાની, તેલ યા દવા ડાલનેસે રોઝહ ફાસિદ નહીં હોગા, ઈલ્લા યે કે કિસી શખ્સ કે કાનકા પર્દા ફટા હુવા હો, યા દવા વગૈરહ ઉસકે હલક તક પહોંચ જાએ.
અલબત્ત, ઈસકે બાવુજૂદ અગર કોઈ શખ્સ કદીમ જમહૂર ફુકહાઅ કે કૌલકે મુતાબિક ખૂદ એહતિયાત કરે ઔર રોઝેકી હાલતમેં કાન કે અંદર દવા ડાલને કે બજાએ ઈફતારકે બાદ તેલ યા દવા વગૈરહ ડાલે તો ઉસકે લિયે ઐસા કરના બિલા શુબ્હા બેહતર ઔર શુબ્હેસે બઈદતર હોગા.”
આ ફેસલા ઉપર હઝરત મવલાના મુફતી મુહંમદ તકી ઉસ્માની સા. (દા.બ.), હઝરત મવલાના મુફતી મુહંમદ રફીઅ ઉસ્માની સા. (દા.બ.), હઝરત મવલાના મુફતી મહમૂદ અશરફ (મ.આ.),હઝરત મવલાના મુફતી અબ્દુર્રઉફ સિખ્ખરવી સા. (મ.આ.) વગેરે કુલ રર ઉલમાએ કિરામની તસદીકી સહીઓ છે. (અલ બલાગ – ડિસ.ર૦૦૧)
રહી વાત આંખમાં નાખવામાં આવતા ટીપાં નાક વડે ગળામાં પહોંચવાની વાત. તો ફુકહાએ કિરામ પણ એ વાતનો સ્વીકાર કરે છે કે આંખમાં નાખવામાં આવતાં ટીપાંનો અસર અમુક વખતે આંખના છિદ્ર વડે ગળામાં પહોંચી શકે છે, જેમ કે આપે મોકલેલ આકૃતિથી માલૂમ પડે છે કે આંખના નાક તરફના ખૂણામાં એવું નાનુ અને બારીક છિદ્ર છે કે જેનાથી દવાનો અસર અમુક સમયે નાકમાં જાય છે, અને નાકમાંથી ગળામાં જાય છે. પરંતુ ફુકહાએ કિરામે સાથે એ વાતની પણ ચોખવટ કરેલ છે કે કોઈ વસ્તુ શરીરના નાના નાના છિદ્ર વાટે ધીમે ધીમે ચૂસાયને અને ભેગી થઈને શરીરમાં દાખલ થાય તેનાથી રોઝો તૂટતો નથી અને આ પણ અનુભવની વાત છે કે આંખમાં નાખવામાં આવતી દવા મોટા ભાગે તો અ।ખની બહાર જ વહી જાય છે, નાકમાં કે ગળામાં તેનો અસર માલૂમ પડતો નથી અને કોઈ વાર કોઈ રોઝદારને અસર માલૂમ પડતો હોય તો તે આંખમાંના નાના છિદ્ર વાટે પહોંચેલી હોય છે, જેનાથી રોઝહ તૂટતો નથી. (બદાઈઅ – ર/ ર૪૪)
Log in or Register to save this content for later.