[૩૩ર] કુતરું કરડયા પછી આપવામાં આવતા ઈન્જેકશનથી રોઝો નહિ તૂટે

Chapter : રોઝહ

(Page : 398-399)

સવાલ :–  જે વસ્તુઓથી રોઝો તૂટી જાય છે, તેમાંથી એક આ પણ છે કે કુતરું કરડયા પછી જે ઈન્જેકશન રોઝહની હાલતમાં ડૂંટીની આસપાસ આપવામાં આવે છે તેનાથી રોઝહ તૂટી જાય છે અને આ માટેનું કારણ એમ માનવામાં આવે છે કે આ ઈંજેકશન વડે જે દવા પહોંચાડવામાં આવે છે તે સીધી જઠરમાં પેટની અંદર જાય છે, તેથી રોઝહ તૂટી જાય છે, પરંતુ તબીબી લાઈનની દ્રષ્ટિએ આ ઈંજેકશન વડે આપવામાં આવતી દવા ચામડીના નીચે આવેલી ચરબીમાં પહોંચાડવામાં આવે છે.(કગખ હગતબદભફગક) અને આ દવા પેટમાં / જઠરમાં જતી નથી, જેવી રીતે ડાયાબીટીસ માટે ઈન્સુલીનનું ઈંજેકશન આપવામાં આવે છે, તે રીતે આ ઈંજેકશન પણ આપવામાં આવે છે, અને ઈંજેકશનની માત્રા વધારે હોવાથી તે ડૂંટીની આસપાસ આપવામાં આવે છે, જેથી તે સારી રીતે શોષાઈ શકે છે, તો આ બાબતે યોગ્ય છાનબીન કરી ફતવો આપવા વિનંતી છે, ઉકત બાબતમાં નીચેના ડોકટરો પણ સંમત છે. ડો. શોએબ શેખ, ડો. અમીન ખરાદી, ડો. મો. અકીલ પટણી, ડો. રઈસ પટેલ, ડો. આરિફ મનસૂરી, ડો. યાકૂબ મેમણ.

જવાબ :–  જયારે અનેક મુસ્લિમ ડોકટરોની તહકીક અને અભિપ્રાય મુજબ કૂતરું કરડયા પછી ડૂંટીની આસપાસ આપવામાં આવતા ઈંજેકશનની દવા જઠરમાં પહોંચતી નથી, બલ્‌કે જઠર બહાર ચરબીમાં જ પ્રસરી જાય છે, તો રોઝહની હાલતમાં લેવામાં આવતા બીજા ઈંજેકશનોની જેમ મઝકૂર ઈંજેકશનથી રોઝહ નહિ તૂટે.

(આલાતે જદીદહ)

Log in or Register to save this content for later.