Chapter : રોઝહ
(Page : 401)
સવાલઃ– રોઝાદાર બીમાર માણસને ડોકટર લેબોરેટરી કરાવવા અને લોહી ટેસ્ટ કરાવવા કહે અને લોહી ટેસ્ટ કરાવવા માટે નસમાંથી ઈંજેકશન વડે લોહી ખેંચવું પડે તો રોઝાની હાલતમાં નસમાંથી ઈંજેકશન વડે લોહી કાઢી શકાય કે નહિ? અને રોઝાની હાલતમાં નસમાં ઈંજેકશન લેવા પડે તો તે લઈ શકાય કે નહિ ?
જવાબઃ– રોઝાની હાલતમાં ટેસ્ટ માટે ઈંજેકશન વડે નસમાંથી લોહી આપવું જાઈઝ છેે અને નસમાંથી લોહી આપવાથી રોઝો નહી તૂટે, અને રોઝાની હાલતમાં નસમાં ઈન્જેકશનથી દવા લેવી પણ જાઈઝ છે, તેનાથી પણ રોઝો નહિ તૂટે. (શામી : ભા. ર / આલાતે જદીદહ)
Log in or Register to save this content for later.