Chapter : રોઝહ
(Page : 381)
સવાલ :– મોઢે રોઝો છતાં સડેલી દાઢનું દર્દ ઘણું વધી જતા દવાખાને જવુ પડયું. ડોકટરે દવાવાળુ રૂનું પૂમડું દાઢમાં સજ્જડ રીતે દબાવી દીધુ અને ચાર દિવસ સુધી એમજ રાખી મુકવા કહેલું છે, રોઝા તો ચાલુ રાખ્યા છે તો શું તે અદા થયેલ ગણાય કે કેમ ? તે જણાવશો.
જવાબ :– જો મઝકૂર પૂમડું દાઢમાં દબાવ્યા પછી રોઝાની હાલતમાં જાગતા અથવા સૂતા મોઢાના થૂંક સાથે દવા પેટમાં પહોંચી ગઈ અને દવા થૂંકના બરાબર અથવા તેથી વધૂ હતી અથવા દવાનો સ્વાદ ગળામાં માલૂમ પડયો તો રોઝો તૂટી જશે અને તેની કઝા કરવી પડશે અને જો દવા આ પ્રમાણે પેટમાં ન પહોંચી હોય તો રોઝો તૂટશે નહિ.
(અહ્સનુલ ફતાવા – ૪/૪૩૬, ઈ.ફતાવા – ર/૧૩૮)
Log in or Register to save this content for later.