[૩૧ર] હેઝ–નિફાસ બંધ થયા પછી ફરી શરૂ થાય

Chapter : રોઝહ

(Page : 380-381)

સવાલ :– એક ઓરતને માસિક આવે છે અને તેને પાંચ દિવસનો પાક થવાનો ટાઈમ છે, પાંચ દિવસમાં પાક થઈને નમાઝ ચાલુ કરી દીધી અને રમઝાનના રોઝહ જે કઝા થયા હતા તે પણ રાખવા ચાલુ કરી દીધા પછી સાતમાં દિવસે ફરી ખૂન ચાલુ થઈ ગયું અને લગભગ દસમાં દિવસ સુધી ચાલુ રહયું પછી અગિયારમાં દિવસે ફરી ગુસલ કરીને પાક થઈ ગઈ, તો વચગાળામાં જે રોઝહ રાખ્યા તે ગણાશે કે પછી ફરીથી રાખવા પડશે અને કદાચ એ ખૂન બાર યા પંદરમાં દિવસ સુધી ચાલુ રહયું તો આ હિસાબે વચ્ચેના રોઝા ગણાશે કે કેમ ? કે ફરીથી રાખવા પડશે. એવી જ રીતે બચ્ચું પેદા થવાના બાદ પાક થવાની મુદ્દત ૪૦ રોજની છે, પણ કોઈ ઓરતને પાંત્રીસ યા ત્રીસ દિવસની પાક થવાની આદત છે, આદત પ્રમાણે ગુસલ કરી પાંત્રીસમાં દિવસે નમાઝ ચાલુ કરી અથવા રમઝાનના કઝા રોઝા રાખવા ચાલુ કર્યા અને બે દિવસ રોઝા રાખ્યા હતા અને પછી ફરી ખૂન ચાલુ થઈ ગયું તો શું આ હિસાબે રોઝા ગણાશે કે ફરીથી રાખવા પડશે, અગર એ ખૂન ૪૦ દિવસના ઉપર પણ ચાલુ રહયું, દા.ત. ૪પ માં દિવસ સુધી આવ્યું તો આ હિસાબે રોઝા ગણાશે કે કેમ ?

જવાબ :– જો દસમાં દિવસે ખૂન બંધ થઈ ગયું તો પહેલા દિવસથી દસમાં દિવસ સુધીના દિવસો હૈઝના ગણાશે, માટે જે કઝા રોઝા રાખ્યા છે તે મોઅતબર નહિ ગણાય, તે રોઝાઓ ફરીથી રાખવા પડશે અને જો સાતમાં દિવસથી ખૂન ફરી શરૂ થઈ બારમા દિવસ અથવા પંદરમા દિવસ સુધી ચાલુ રહયું તો કઝાના રોઝા મોઅતબર ગણાશે, તે ફરીથી રાખવા ઝરૂરી નથી.

                બચ્ચાની વિલાદત બાદ આવતું ખૂન કોઈ ઓરતની આગલી આદત મુજબ ૩૦ અથવા ૩પ માં દિવસે બંધ થઈ ગયું અને બે દિવસ પછી ફરીથી શરૂ થઈ ગયું, ૪૧માં અથવા તેથી વધુ દિવસ ચાલુ રહયું તો પહેલી વાર બંધ થયા પછી રાખેલા રોઝા મોઅતબર ગણાશે, કારણ કે ફરી શરૂ થયેલું ખૂન નિફાસનું નહિ ગણાય, બલ્કે ઈસ્તિહાઝા (બિમારી) નું ગણાશે.  (શામી ભા.૧)

Log in or Register to save this content for later.