[૩૧પ] સુબ્હ સાદિકથી પહેલાં સોહબત

Chapter : રોઝહ

(Page : 382)

સવાલ :– સહરીનો સમય પૂરો થતા પહેલાં ઓરતથી સોહબત કરી અથવા સહરી ખાધા પછી સોહબત કરી અને હજુ સહરીનો વખત બાકી છે તો રોઝો થશે કે નહિ ? અને ગુસલ સહરીનો ટાઈમ પૂરો થયા પછી આરામથી કરે કે ચાર પાંચ કલાક પછી કરે ?

જવાબ :– સહરીનો સમય પૂરો થતા પહેલાં અને સહરી ખાતાં પહેલાં કે પછી ઓરતથી સોહબત કરવી જાઈઝ છે અને સહરી ખાધા પછી સોહબત કરવામાં આવે તો પણ રોઝો રાખી શકાશે અને તે રોઝો જાઈઝ અને દુરસ્ત ગણાશે. અલબત્ત, સહરીનો ટાઈમ પૂરો થઈ ગયા પછી એટલે કે સુબ્હે સાદિક થઈ ગયા પછી સોહબત કરવી જાઈઝ નથી, જો તે પછી સોહબત કરવામાં આવશે તો રોઝો ફાસિદ થઈ જશે. (શામી–ર) અને સોહબત પછી તુરત ગુસલ કરવું વાજિબ નથી. નમાઝ જમાઅત સાથે મળી જાય એ પ્રમાણે મોડું ગુસલ કરશે તો પણ જાઈઝ છે અને જમાઅતથી નમાઝ છુટી જાય, ગુસલમાં એટલું મોડું કરવું મકરૂહ અને ગુનાહનું કામ છે.                  (શામી–૧/પ૯)

Log in or Register to save this content for later.