[૩૦૯] ઈફતાર–સહરમાં તકવીમ અને મુશાહદો

Chapter : રોઝહ

(Page : 377)

સવાલ :– (૬) રમઝાન શરીફની ઈફતારી અને સહરી રમઝાન શરીફના ટાઈમ ટેબલ પ્રમાણે કરવી અફઝલ છે કે તકવીમના ટાઈમ ટેબલ પ્રમાણે અફઝલ છે કે દાએમી અહમદી તકવીમના ટાઈમ ટેબલ પ્રમાણે સહરી અને ઈફતારી કરવી અફઝલ છે ?

જવાબ :–(૬) ઉપર પહેલા જવાબમાં જણાવ્યા મુજબ સુન્નત તરીકો તો આજ છે કે ગુરૂબ અને તુલૂઅ જોઈને ઈફતાર અને સહરી કરવામાં આવે, પરંતુ જો હિસાબથી તૈયાર કરવામાં આવેલ ટાઈમ ટેબલના ગુરૂબ અને તુલૂઅને અનેકવાર આંખે જોઈને ચકાસણી કરી લેવામાં આવી હોય તો ટાઈમ ટેબલના સમય મુજબ ઈફતાર અને સહરી કરવામાં વાંધો નથી.

Log in or Register to save this content for later.