Chapter : રોઝહ
(Page : 376-377)
સવાલ :– (પ) પેલા નવયુવાનો સાથે જે મૌલાના સાહેબ મિનારા પર ચઢી ગુરૂબે આફતાબ જોતા હતા અને દાએમી અહમદી તકવીમના ટાઈમ પહેલા બેલ મરાવી દેતા હતા તેજ મૌલાના સાહેબના હાથનું રમઝાન શરીફના ટાઈમ ટેબલના પાછળ લખેલ ટાઈમ ટેબલ મારા હાથમાં આવ્યું છે. તે ટાઈમ ટેબલ હું રજુ કરું છું. એ મૌલાના સા. રમઝાનના ટાઈમ ટેબલ પાછળ લખે છે કે આ ટાઈમ ટેબલ પ્રમાણે સહરીનું પાણી પીવું રોઝહમાં ખતરો છે. એનાથી જલ્દી પાણી પી લેવું અથવા એનાથી ૧૦ મીનીટ પહેલાં, તો આ પ્રમાણે લખવું બરાબર છે. મઝકૂર મૌલાના સાહેબ મસ્જિદના મિનારા ઉપર નવયુવાનો સાથે ચઢી દાએમી અહમદી તકવીમ પહેલાં (ટાઈમ પહેલાં) રોઝહ ઈફતારનો બેલ મરાવે છે. તો શું રોઝામાં ખતરો નથી ?
જવાબ :–(પ) સામાન્ય રીતે ગુરૂબે આફતાબ તો ઘણા માણસો જોવે છે અને ગુરૂબે આફતાબને જોવું સુબ્હે સાદિકના જોવા કરતાં ઘણું સરળ છે માટે ગુરૂબે આફતાબ જયારે સાફ રીતે જોઈ લેવામાં આવે તો જોનારાઓ માટે એહતિયાત કરવાની ઝરૂરત નથી અને ગુરૂબે આફતાબ સંતોષપૂર્વક જોઈને ઈફતાર કરવામાં કોઈ ખતરો નહિ રહે જયારે સુબ્હે સાદિક સામાન્ય રીતે લોકો જોતા નથી અને દરેક માણસે તુલૂએ સુબ્હનું નકકી કરવું પણ આસાન નથી અને સામાન્ય રીતે સુબ્હે સાદિકના મામલામાં ટાઈમ ટેબલમાં લખેલા ટાઈમ ઉપર અમલ કરવામાં આવે છે. માટે સહરી બંધ કરવામાં ટાઈમ ટેબલમાં સુબ્હે સાદિકના લખેલા સમયથી પાંચ–દસ મિનિટ પહેલા સહરી બંધ કરવાનો એહતિયાત કરવામાં આવે છે એ બરાબર છે કારણ કે ટાઈમ ટેબલ મુજબ અમૂક મિનિટો અનેક કારણોસર ચોકકસ સમયથી આગળ પાછળ થઈ શકે છે.
Log in or Register to save this content for later.