Chapter : રોઝહ
(Page : 375-376)
સવાલ :– (૪) મઝકૂર મસ્જિદના પેશ ઈમામ સા. પોતે ઈફતારનો બેલ વાગે છે ત્યારે પોતાનો રોઝો ઈફતાર કરતા નથી અને પોતાની દુઆમાં મશગૂલ રહે છે. દુઆથી પરવારીને પછી પોતાનો રોઝો ઈફતાર કરે છે. જેમાં કોઈ દિવસ બે મિનિટ કોઈ દિવસ ત્રણ મિનિટ પછી પોતાનો રોઝો ઈફતાર કરે છે અને આખું ગામ તડકેશ્વર બેલ વાગે છે તેના ઉપર પોતાના રોઝહ ઈફતાર કરે છે. તો શું આ બરાબર છે ?
જવાબ :– (૪) ઈમામ સાહેબ પોતે આ સૂરતમાં સૂર્યાસ્ત જોતા નથી એટલે તેઓ એહતિયાત રૂપે બે–ત્રણ મિનિટ મોડો ઈફતાર કરતા હોય તો વાંધો નથી અને ગામ લોકો સૂર્યાસ્ત જોઈને વાગતા બેલ ઉપર રોઝો ઈફતાર કરે એ પણ જાઈઝ છે.
Log in or Register to save this content for later.