[૩ર૦] રોઝાદાર ગુદામાં આંગળી દાખલ કરે

Chapter : રોઝહ

(Page : 386-387)

સવાલ :– મારા મિત્ર હલકી કે ભારે ખોરાક ખાય છે ત્યારે તેને જે મળ આવવો જોઈએ તે એકી સાથે આવતો નથી, હાજત હોય ત્યારે થોડોક મળ બહાર આવે છે. મળ ચિકાશ વાળો આવતો હોવાથી બાકીનો મળ ગુદાના નાકે આવી અટકી જાય છે ગમે તેટલુ દબાણ કરે તો પણ નીચે ઉતરતો નથી, છેવટે ભીની આંગળી કરી મળને બહાર કાઢવો પડે છે. જો ન કાઢે તો પવન છૂટથી કપડાં નાપાક થવાનો ભય રહે છે. તેમજ વાયુ છૂટ ઘણો જ ખરાબ આવે છે. ઈલાજથી કશો ફરક પડતો નથી. કોઈક જ વાર એકદમ સાફ મળ ઉતરે છે. તો સવાલ એ છે કે રમઝાનના ફર્ઝ રોઝા હોય કે નફલ રોઝા, રોઝાની હાલતમાં ભીની આંગળી કરી મળને બહાર ખેંચવાથી રોઝામાં કોઈક ખરાબી તો નથી આવતી ? અને તેના માટે શું કરવું? જે રોઝાઓ રાખ્યા હોય એમાં આવું કર્યું હોય તો એ રોઝાઓ મોઅતબર ગણાશે કે કેમ? અને મોઅતબર રોઝા ન ગણાતા હોય તો મારે શું કરવું ? એવું સાંભળ્યું છે કે ગુદા વાટે રોઝાની હાલતમાં એનેમા લેવાથી રોઝો તૂટી જાય છે અને એના લીધે આ મસ્અલહ પૂછવાની ઝરૂરત પડી છે.

જવાબ :– મળ બહાર કાઢવા માટે ગુદામાં ભીની આંગળી (રોઝો યાદ હોવાની હાલતમાં) દાખલ કરવાથી રોઝો તૂટી જાય છે અને દરેક પ્રકારના રોઝાનો એક જ હુકમ છે, જેટલા રોઝાઓમાં આવું થયું હોય તે રોઝાઓ મોઅતબર નહિ ગણાય અને તે રોઝાઓની કઝા કરવી પડશે, પરંતુ કફ્‌ફારો નહિ આપવો પડે.           (શામી ભા. ર)

નોટ :– આ તકલીફ દૂર કરવા માટે કોઈ હકીમ કે ડોકટરથી ઉપાય કરાવવો જોઈએ.

Log in or Register to save this content for later.