[૩રર] પેઢામાંથી સતત લોહી નીકળે અને ગળામાં ઉતરી જાય

Chapter : રોઝહ

(Page : 387-388)

સવાલ :–  જો કોઈ માણસને પેઢામાંથી લોહી નીકળ્યા જ કરતું હોય અને રોઝાની હાલતમાં ગળામાં ઉતરી જતું હોય તો રોઝામાં કોઈ વાંધો આવશે કે નહિ ?

જવાબ :– ઉપરની વિગત મુજબ રોઝો તૂટવા ન તૂટવાનો હુકમ લગાડવામાં આવશે. લોહીના સતત નીકળતા રહેવાથી રોઝો તૂટવા પર કોઈ અસર પડશે નહિ.

                હા, સુવાની હાલતમાં આવી બીમારીવાળા માણસના ગળામાં જાણ બહાર, વગર ઈરાદે લોહી ઉતરી જાય તો ગુંજાઈશ છે કે બચી ન શકવાની મજબૂરીના કારણે રોઝો ન તૂટવાનો હુકમ લગાડવામાં આવે.   (શામી ભા. ર)

Log in or Register to save this content for later.