[૩પ૧] આદતથી વધુ હૈઝના દિવસોમાં રાખેલા રોઝા

Chapter : રોઝહ

(Page : 413)

સવાલઃ– જો મઝકૂર ઓરતે તેની હૈઝની આદતના સાત દિવસો પછી લોહી વહેવાની હાલતમાં રોઝહ રાખવાનું ચાલુ કર્યું અને તે લોહી દસ દિવસોથી વધારે ન વહયું તો તેણીએ સાત દિવસો પછી રાખેલા રોઝાઓ આ સૂરતમાં મોઅતબર અને સહીહ ગણાશે? અથવા તે ગેર મોઅતબર હોવાથી તેણીએ આ રોઝાઓની કઝા કરવી પડશે?

જવાબઃ– આ સૂરતમાં જયારે મઝકૂર ઓરતને તેની આદતના સાત દિવસો પછી વહેનાર લોહી દસ દિવસોથી થોડીવાર પહેલાં જ બંધ થઈ ગયું તો તેણીએ સાત દિવસ પછી રાખેલા પહેલા, બીજા અને ત્રીજા દિવસના એમ ત્રણ રોઝાઓ ગેર મોઅતબર ગણાશે અને હૈઝના સાત દિવસોની જેમ આ ત્રણ દિવસોના રોઝાઓની રમઝાન પછી કઝા કરવી પડશે, કારણ કે મઝકૂર લોહી દસ દિવસોથી થોડી જ વાર પહેલાં બંધ થઈ જવાથી એ વાત જાહેર અને સાબિત થઈ ચૂકી છે કે તેની આદતના સાત દિવસો પછી વહેનાર લોહી હૈઝનું હતું અને હૈઝની હાલતમાં રાખેલા રોઝાઓ મોઅતબર અને સહીહ નથી, માટે તેની કઝા કરવી ઝરૂરી છે.     (રસા.ઈબ્ને આબિદીન ભા.૧/૯૧,કિ.અસલ ર/ર૧પ)

Log in or Register to save this content for later.