[૩પપ] ઝરૂરતથી નીકળ્યા પછી ફરી નિય્યત ઝરૂરી નથી

Chapter : રોઝહ

(Page : 418)

સવાલઃ– મસ્જિદમાં નફલ, સુન્નત કે વાજિબ એઅ્‌તેકાફ કરનાર એઅ્‌તિકાફની દુઆ પઢયા બાદ અગર મસ્જિદના ખારિજ હિસ્સામાં બયતુલખલા કે પેશાબ કરવા જાય અને કોઈથી વાતચીત  ન કરે તો ફરી જયારે મસ્જિદના જમાઅતખાનામાં દાખલ થાય તો એઅ્‌તિકાફની દુઆ ફરી પઢવી પડશે કે કેમ?

જવાબ :– વાજિબ અને સુન્નત એઅ્‌તિકાફ પેશાબ – પાખાના માટે મસ્જિદથી બહાર નીકળવાથી તુટતો નથી. માટે ફરી દુઆ પઢવી ઝરૂરી નથી અને નફલ એઅ્‌તિકાફમાં પણ જો કોઈ એક ખાસ મુદ્દતની નિય્યત કરી હોય તો તે મુદ્દત દરમિયાન પેશાબ પાખાના માટે નીકળવાથી એઅ્‌તિકાફ તૂટશે નહિ, માટે એ સૂરતમાં પણ ફરી દુઆ પઢી નિય્યત કરવી ઝરૂરી નથી.

                અલબત્ત, જો નફલમાં કોઈ મુદ્દતની નિય્યત ન કરી હોય તો ફરી દુઆ પઢી નિય્યત કરવી પડશે, કારણ કે આગળનો એઅ્‌તિકાફ નીકળવાથી પૂરો થઈ ચૂકયો હતો.             (શામી – ર / ર૩૧)

Log in or Register to save this content for later.