શૈખ અ.કાદિર જીલાની રહ.વિષે ખોટી માન્યતા.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 100-101)

સવાલ(ર૩–ર૩)ઃ–  પીરાને પીર,દસ્તગીર,ગવ્ષએ આ’ઝમ (રહ.)ને શાફેઈ લોકો ઘણાં જ માને છે,મુરદાંઓને જીવંત કરી દેતા હતા,એમના નામની નિયાઝેા કરે છે,એવણ શાફેઈ મઝહબ પાળતા હતા,એ વિષે ખુલાસો લખશો ?

જવાબ(ર૩–ર૩)ઃ–           હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ઘણાં મોટા આલિમ અને બુઝુર્ગ હતા,બલ્કે વલીયોના સરદાર અને સરતાજ હતા,બધા મુસલમાનો એમને વલી તરીકે માને છે,તેમજ અકીદતમંદી રાખે છે,તેઓ રસૂલે પાક (સલ.) ની સુન્નતોના ઘણાં જ પાબંદ હતા,હમ્બલી મઝહબ પાળતા હતા એમને દસ્તગીર કહેવું જાઈઝ નથી, એનો અર્થ મદદગાર થાય છે,દરેક વખતે બધી જગ્યાએ મદદ કરનાર અલ્લાહ જ છે,અને ખાસ અલ્લાહપાકની જ સિફત છે,તેમજ અલ્લાહ તઆલા સિવાય બધી જગ્યાએ દરેક વખતે બીજો કોઈ હાજર નથી,એ ગુણ પણ અલ્લાહ તઆલા માટે જ ખાસ છે, અલ્લાહ બધી જગ્યાએ હાજર અને જોનાર છે,તેના સિવાય મખલૂકમાં બીજા કોઈને હાજર નાઝર રહેવાની શક્તિ નથી,અને બીજાને હાજર નાઝર સમજવું શિર્ક છે,જેમ અંબિયા (અલ.) ના મો’જિઝાઓ હક છે તેમ અવલિયાની કરામતો હક છે;

               હઝરત પીરાને પીર (રહ.)બેશક સાહિબે કરામત હતા,એમની કેટલીક સત્ય કરામતો ઉલમાએ હકકાનીએ લખેલ છે,અને કેટલીક ખોટી કરામતો નાદાનોએ મશહૂર કરી રાખી છે,એ તદ્દન દલીલ વિનાની છે,અલ્લાહ તઆલાના સિવાય કોઈના નામની નઝરો–નિયાઝ કરવી તદ્દન હરામ છે,અને તેનું ખાવું પણ જાઈઝ નથી.નજરો–નિયાઝ પણ ખાસ અલ્લાહ તઆલા માટે જ છે,ખાલિકને છોડી મખલૂકને પકડવું કેટલી મોટી અજ્ઞાનતા કહેવાય ! ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(ફતાવા દારૂલ ઉલૂમઃ ૧/૮૮)

Log in or Register to save this content for later.