મૌત વખતે તકલીફ થવાનો વસવસો,અને રૂહાની ઈલાજ.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 102-103)

સવાલ(ર૬–ર૬) મને એક બીમારી લાગુ પડી છે કે હું આજે મરીશ અથવા કાલે મરીશ,એમ થયા કરે છે,અને મૌત વખતે કેટલી તકલીફ થશે ? એવા શૈતાન વસવસા નાંખે છે,જેમાં હું બહું જ પરેશાનીમાં મુકાય ગયો છું તો મારે શું કરવું ?

જવાબ(ર૬–ર૬) હદીષ શરીફમાં મૌત યાદ કરવાનો હુકમ છે. જેમકે, ‘‘અક્‌ષિરૂ જિક્ર હાઝિમિલ્લજજાતિ અલ્‌મૌત અર્થાત મૌતને વધુ યાદ કરો; તેનો મુકાબલો કરો, બની શકે તો દરરોજ કબ્રસ્તાન જાઓ,નહિંતર અઠવાડિયામાં એકવાર,દિલની સખ્તાઈનો અકષિર ઈલાજ છે. દુનિયાનો અણગમો પૈદા થશે, મૌતથી ડરવું જોઈએ નહિં,મૌત મો’મિનનો તોહફો (ભેટ) છે.કારણ કે મરણ બાદ અલ્લાહ તઆલાનો મેળાપ થશે. દરેક નમાઝ બાદ આયતુલ કુર્સી એકવાર અને ત્રણ–ત્રણ વાર મુઅવ્વજતૈન (કુલ અઉજુ બિરબ્બિલ્‌ ફલક અને કુલ અઉજુ બિરબ્બિન્નાસ્‌ ) પઢી આખા શરીફ ઉપર દમ કર્યા કરો. ઈ.અ. શિફા પ્રાપ્ત થશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (મિશકાત શરીફઃ ૧૪૦)

Log in or Register to save this content for later.