મૈય્યતને દફન કરતી વખતે ખિસામાં ચાકું રાખવું.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 99-100)

સવાલ(રર–રર)ઃ–            એક મુસ્લિમ ભાઈ પાસેથી જાણવા મળયું છે કે મૈય્યતને દફન કરતી વખતે ખિસામાં છુરી રાખવી ખાસ જરૂરી છે,કારણ કે કોઈ વખત બન્યુ નથી પણ એવું બને છે કે મૈય્યત કબરમાં હસીપડે તો એમ માનવું કે એના ઉપર શૈતાન ગાલિબ થયો સમજી,મૈય્યતને છરીથી ઝુબહ કરી પછી માટી વાળી દેવી,એ વિષે શું હુકમ છે ?

જવાબ(રર–રર)ઃ–            દર્શાવેલ માન્યતા (મૈય્યત કબરમાં હસી પડે તો માનવું કે શૈતાન એના ઉપર ગાલિબ થયો એવું સમજી છુરીથી ઝુબહ કરી દેવું) તદ્દન ખોટી વાહિયાત વાત છે,મોત જેવીજ એક બીમારી જેને સકતા કહે છે,લોકો તેને મરેલો સમજી દફન કરવાની તૈયારી કરે છે,અને બીમારીનો દોરો મટી જવાથી હોશમાં આવે છે,કદી હરકત કરે છે,કદી હસે છે,તો વાસ્તવમાં તે જીવતો છે,હસવું જીવંતનું છે,જેથી તેને કાઢી લેવો જોઈએ,અને કદી હસવું કરામત રૂપે હોય છે,તો તેને કાઢવો ના જોઈએ,હસવાથી ઝુબહ કરવું અજ્ઞાનતા છે,કતલનો ગુનોહ લાગુ પડશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.