Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 103-104)
સવાલ(ર૮–ર૮) શું મરવા પછી ચાલિસ (૪૦) દિવસ સુધી ઘરના દરવાજા રાત–દિવસ ખુલ્લાં રાખવા જોઈએ ? શું ચાલીસ (૪૦) દિવસ સુધી ઘરમાં લોબાન અગરબત્તી કરવું જોઈએ ? કારણ કે,ઓરતોનું કહેવું છે કે મુર્દાઓ અગરબત્તી– લોબાનના ભુખ્યાં છે,એ ખરૂ છે ?
જવાબ(ર૮–ર૮) ઉકત માન્યતા બે અસલ,સનદ વિનાની છે,લાલ કિતાબની મનઘડત છે,દરવાજો એ ખ્યાલથી ખુલ્લો રાખવો કે મર્હૂમ મય્યિતની રૂહ આવે છે, અને બંધ દરવાજો જોઈને પરત થઈ જશે,કોઈ દલીલથી સાબિત નથી. માની લો કે રૂહ ઘેર આવે છે તો દરવાજો બંધ હોય તો પણ પ્રવેશી શકે છે. મજકૂર વાત અકકલ ની પણ વિરૂધ્ધ છે. વળી દરવાજો ખુલ્લો રાખવામાં જાન–માલનો પણ ભય છે;
રૂહ,લોબાન અને અગરબત્તીની ભુખી છે,એ વાત પણ સાબિત નથી. જો રૂહ જન્નતી છે તો જન્નતની સુગંધ મળે છે,પછી નજેવી ખુશ્બુ શી રીતે પસંદ કરે ! ? સારાંશ કે સનદ વિનાની ખોટી ફેલાયેલી વાતોની માન્યતા રાખે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ઈમદાદુલ ફતાવા)
Log in or Register to save this content for later.