ભયંકર સ્વપ્નોથી બચવાનો વઝીફો.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 101-102)

સવાલ(રપ–રપ)ઃ–          મેં એક ભયંકર સ્વપ્નું જોયુ,એ સ્વપ્નમાં એક સાપને માર્યો ત્યારે તેનું માથુ જાુદુ થઈ ગયું,પછી મારી મામીએ બૂમ પાડી કહયુ,સાંપ જીવતો છે અને બળદ ને કરડશે,પછી હું લાકડી લઈને મારવા ગયો,ત્યારે મારા ઘરવાળાં ના કહે છે,હું લાકડી ફેંકી મારા ઘેર આવ્યો,ત્યારે હું એકદમ પાગલ જેવો બની ગયો, પછી મને યાદ આવ્યું એ જિન તો નહીં હોય ! પછી સાંપ મારા બારણા પાસે આવ્યો,પછી હું બહાર પલંગ ઉપર પગ લટકાવીને બેસી ગયો,ત્યારે બે સાપ મારા પગ પાસે આવ્યા,ત્યારે મને મારો ભાઈ ચુનાનું પાણી લગાડતો હતો,અને તે પાણી મને ભુંરૂ દેખાય છે,અને તે બન્ને સાંપ ફેણ માંડીને પગ સાથે ખુબ દબાવે છે,બંને સાંપોનો રંગ કાળો હતો,એ વિષે શું ખુલાસો છે ?

જવાબ(રપ–રપ)ઃ–          આ ખ્વાબ વિષે ગભરાવાની જરૂર નથી,રાત્રે સુતી વખતે ત્રણ વાર સૂરએ નાસ અને સૂરએ ફલક પઢશો,અને દરેક વાર પઢી હાથોની હથેળીઓ પર દમ કરી આખા શરીર ઉપર ફેરવશો,અને આયતુલ કુરસી પઢી સુઈ જશો, અલ્લાહના હુકમથી કોઈ પ્રકારની તકલીફ થશે નહી; અને સવાર સાંજ ત્રણ વાર નીચે લખેલી દુઆ પણ પઢવાની હંમેશા આદત બનાવી લેશો;

               ” બિસ્મિલ્લાહિલ્લજિ લા યદુર્રૂ મઅ ઈસ્મિહિ શયઉન ફિલ અર્દિ વલા ફિસ્સમાઅ,વહુવસ્સમીઉલ અલીમ.”

               તિર્મિજી શરીફમાં હદીષ છે કે હઝરત (સલ.)એ ફરમાવ્યું કે સવાર સાંજ (મજકૂર દુઆ) પઢવાથી કોઈ વસ્તુ નુકશાન કરતી નથી,ઉપર મુજબ અમલ કરવાથી કોઈ વસ્તુ નુકશાન કરશે નહીં,અને તંદુરૂસ્તી સારી રહેશે,તેમજ ભયાનક સ્વપ્નો જોવામાં આવશે નહીં,અને ખુદાપાક ફરિશતા વડે હિફાઝત કરશે. ફકત અલ્લાહપાક વધુ બેહતર જાણનાર છે.

(તિર્મિજીઃ ર/૧૭૬)

Log in or Register to save this content for later.