Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 101)
સવાલ(ર૪–ર૪)ઃ– અમારી જમાઅતમાં એક બુઝુર્ગ માણસ છે,જેમણે જમાઅતની ઘણી જ સેવા કરી છે,જેથી અમો જમાઅતવાળાઓ એમના માનમાં એક જલ્સો કરવાનો વિચાર કરીએ છીએ,અને અમારી જમાઅતનો એવો વિચાર છે કે,એ પ્રસંગે બુઝુર્ગને ત્રાજવામાં બેસાડી એમને ચાંદીથી તોળીએ,અને એમના વજન જેટલી ચાંદી,એ બુઝુર્ગને ભેટ ધરી દઈએ, અને અમારો ખ્યાલ છે કે, અમારા એ બુઝુર્ગ એ ચાંદીને પોતાના કામમાં લેશે નહિં, બલ્કે જમાઅતના કામમાં વાપરશે,તો એ અંગે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ(ર૪–ર૪)ઃ– બુઝુર્ગની દીની–દુન્યવી સેવાઓ પ્રસંશા પાત્ર છે,એમને સન્માનવું,જયુબિલિ જશ્ન યોગ્ય છે,પરંતુ એ માટે શરીઅત વિરૂધ્ધ કાર્ય કરવું જોઈએ નહિં કે,જેનાથી ખુદાપાક નારાજ થાય. જે કોઈ કામ કરવામાં આવે ઈખ્લાસથી કરવામાં આવે,આવા કાર્યમાં ઈસરાફ (ફુઝૂલ ખર્ચ)થી પણ બચવું જોઈએ.વાજા,બેન્ડ,નાચ–ગાન વગેરેનું આયોજન પણ વાહિયાત છે. બુઝુર્ગને હદિયો દેવા માટે ઉઘરાણીમાં પણ જબરદસ્તી ન હોવી જોઈએ. રાજી ખૂશીથી જે આપે તે લઈ એકત્ર કરી બુઝુર્ગને આપી દેવું,તેમજ ચાંદીમાં તોલવાનો તરીકો ઈસ્લામમાં નથી,બલ્કે બિન મુસ્લિમોની મુશાબહત છે. ઈસ્લામમાં અનેક બુઝુર્ગો થઈ ગયા, જેમની સેવાઓ–ખિદમતો અમૂલ્ય છે. પરંતુ કોઈને પણ સોના–ચાંદીથી તોલવામાં આવ્યા હોય એવો દાખલો નથી,માટે તોલ્યા વગર હદિયાની થેલી પેશ કરવામાં આવે,જો બુઝુર્ગ હાજતમંદ ન હોય તો એમને રકમ આપવાને બદલે એ રકમમાંથી એમની યાદગાર રૂપ સદકહ જારિયહનું કામ કરવું બેહતર છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.