નૂર અલ્લાહની સિફત છે નબીયો માટે અપશબ્દો ઉચ્ચારવા.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 104-105)

સવાલ(૩૦–૩૦) કુર્આન શરીફની સૂરએ નૂરની આયત ”અલ્લાહુ નુરૂસ્સમાવાતિ વલઅર્દિ ” નો ભાવાર્થ ”અલ્લાહ કયા હૈ ? એક નૂર હૈ,” એમ એક ભાઈ કહે છે,પરંતુ મારો અકીદો છે કે અલ્લાહ એક નૂર છે,અને નૂર તરીકે જ હું માનુ છુ, કિતાબોમાં એમ તો નથી બતાવેલું કે અલ્લાહને એક નૂરથી તસવ્વુર કરો,હું માનુ છું કે નૂર,એ એક ખુદા ની સિફતમાંથી છે,બાકી નૂરને ખુદા તરીકે માનવું કે નહી એ ખુલાસાવાર સમજાવશો. અને પયગમ્બર હઝરત મૂસા (અલ.) વિષે કહે છે કે મૂસા પયગમ્બર હઠીલા હતા,તો એ પ્રમાણે હલકા શબ્દો ઉચ્ચારવા એ ગુસ્તાખી નથી ? અને એવા માણસને કેવો લેખવો ? પુરતા ખુલાસા સાથે સમજાવશો ?

જવાબ(૩૦–૩૦) નૂર અલ્લાહ તઆલાની અનેક સિફતોમાંથી એક સિફત છે, જેમ કે ઈલ્મ,સાંભળવું,નઝર વિગેરે ખુદાપાકની સિફતોની કેફિયત આપણે જાણતા નથી,તેમ સિફતે નૂરની હકીકત પણ જાણી શકતા નથી,ચંદ્ર ની રોશની માફક જાણવું કુફ્ર અને અભણતા છે,ખુદાપાકના નૂરનો તસવ્વુર કરી શકાય નહિં,એ ભાઈ જે ભાવાર્થ કરે છે તદ્દન ખોટો છે,ખરો અર્થ આ પ્રમાણે છે,” અલ્લાહ તઆલા આકાશો અને ધરતીની રોનક છે,એટલે એમનું અસ્તિત્વ ખુદાપાકની જાતથી છે,નહિંતર વેરાન થઈ જાય”. (જલાલૈન શરીફઃ ર૯૮)

                અલ્લાહના રસૂલોને અપશબ્દો (હલ્કા,તુચ્છ)વડે સંબોધવું એ ગુસ્તાખી અને અપમાન છે,જેથી એવો માણસ ઈમાનથી નીકળી જશે,નવેસરથી ઈમાન લાવવું ફર્ઝ છે,લોકોને સાવધાન કરી દેવા જોઈએે, કોઈ પ્રકારનો સંબંધ રાખવો નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. ( શર્હે અકાઈદઃ ૧૩૯)

Log in or Register to save this content for later.