Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 96)
સવાલ(૧પ–૧પ)ઃ– સીરતુન્નબી (સ.અ.વ.) નો જલ્સો કોઈ એવા હોલમાં રાખવો કે જે હોલમાં જાનદારની તસ્વીરો છે તો એનો શું હુકમ છે ? મસ્જિદમાં જલ્સો રાખવો કેવું છે ?
જવાબ(૧પ–૧પ)ઃ– બીજી સૂરતમાં એટલે કે મસ્જિદમાં સીરતુન્નબી (સ.અ.વ.) નો જલ્સો રાખવાથી રસૂલુલ્લાહ (સ.અ.વ.) ની રૂહ વધુ ખુશ થશે. ફોટાવાળા મકાનમાં જલ્સો રાખવાની મનાઈ છે,રસૂલુલ્લાહ (સ.અ.વ.) તસ્વીરવાળા મકાનમાં જતા હતા નહિં,અને એ વિષે લા’નત ફરમાવી છે. રહમતના ફરિશ્તાઓ પણ એવી જગ્યાએ દાખલ થતાં નથી, વળી મસ્જિદમાં જલ્સો રાખવાથી હોલનું ભાડું પણ બચી જશે તે રકમ ખૈરાત કરી રસૂલુલ્લાહ (સ.અ.વ.)ની રૂહને સવાબ પહોંચાડવામાં આવે,એ વધુ બેહતર છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (મિશકાત શરીફઃ પેજ–પ૦)
Log in or Register to save this content for later.