તબ્લીગી જમાઅતની ફઝીલત વિષે.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 98-99)

સવાલ(ર૧–ર૧)ઃ–           તબ્લીગમાં ગશ્તની ફઝીલતમાં નીચે પ્રમાણે હદીષો બયાન કરવામાં આવે છે,જે કોઈ માણસ ગશ્ત માટે નીકળે,અને તેના પર જે ધુળ–મટોડી લાગે છે તેને દોઝખનો ધુમાડો પહોંચતો નથી,અર્થાત તે માણસ માટે દોઝખ હરામ છે;

               બીજી હદીષ છે કે જે કોઈ માણસ તબ્લીગમાં નીકળે અને એ રસ્તામાં એક પાઉન્ડ વાપરે તો તેને સાત લાખ પાઉન્ડનો સવાબ મળે છે;

               ત્રીજી હદીષ છે જે કોઈ માણસ તબ્લીગમાં નીકળે છે,તેના માટે આસમાન અને ઝમીનમાં જેટલી અલ્લાહની મખ્લુક છે,તે મગફિરતની દુઆ કરે છે,શું આ ત્રણ હદીષો તબ્લીગની ફઝીલતમાં મૌજૂદ છે ? શું આ ત્રણ હદીષો જિહાદ ફિ સબીલિલ્લાહની ફઝીલત માટે છે કે તબ્લીગની ફઝીલતમાં આવી છે ?

જવાબ(ર૧–ર૧)ઃ–           દર્શાવેલ હદીષો,જિહાદ ફી સબીલિલ્લાહ (દીની યુધ્ધ) બાબત ફરમાવી છે,તબ્લીગ પણ જિહાદના હુકમમાં લેખાય છે,કારણ કે બન્નેવનો હેતુ દીનનો પ્રચાર છે,જેથી જિહાદની ફઝીલતો તબ્લીગમાં વર્ણન કરવામાં વાંધો નથી.

               ગશ્ત પધ્ધતિનો હેતુ દીનની વાત પહોંચાડવા લોકો પાસે જવું,માન જાળવીને ભલી વાત કહેવી અને બુરાઈથી રોકવું,સર્વે નબીયોને મોકલવાનો હેતુ પણ એજ હતો,જેથી નબીયોની સુન્નત કહેવામાં વાંધો નથી,મુતકલ્લિમ વાત કરે અને બધા સાથીઓ ઝિક્ર કરે,ઈસ્તિગફાર કરે જેથી વાતમાં અસર પૈદા થાય તે સારી વાત છે, સાથીઓ નકામી વાતોથી બચે,ઝિક્રની ટેવ પડે, એમાં આક્ષેપ કરવા જેવું કંઈ નથી;

               સારાંશ કે તબ્લીગી ચળવળ અત્યંત લાભદાયક છે,એનાથી અનેકની ઈસ્લાહ થઈ છે,ઘણાં ખરા મુસ્લિમો જે નામના મુસલમાન હતા તેઓ ખરેખર પાકા મુસલમાન થઈ ગયા છે,પ્રત્યેક મુસલમાને શકય સુધી તેમાં ભાગ લેવો જોઈએ, અને વિરૂધ્ધ કરવો જોઈએ નહીં,અલબત્ત એમાં ગુલુ (હદ વટાવી જવું) કરે નહિં,કે બાલબચ્ચાંના વાજિબ હકો છુટી જાય. કફત ખુદાપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.