જમાઅતે ઈસ્લામી વિષે દ્રષ્ટિકોણ.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 106-107)

સવાલ(૩૪–૩૪) જમાઅતે ઈસ્લામીવાળા ભાઈઓ ચારેવ ઈમામોને પણ માનતા નથી,તેમની તકલીદ સ્વીકારતા નથી,તો એ લોકોને સુન્ની માનવા કે નહિં ? એ લોકોને કેવા માનવા ?

જવાબ(૩૪–૩૪) (જમાઅતે ઈસ્લામી) ગુમરાહ (સત્ય માર્ગથી ભટકનાર) ફિર્કો છે,જેમકે હઝરત શૈખુલ ઈસ્લામ મૌલાના હુસૈન અહમદ મદની (રહ.)એ સ્પષ્ટ શબ્દો માં ફરમાવ્યું છે,કે ઉમ્મતે મુહંમ્મદિય્યહના તોત્તેર ફિર્કાઓમાંથી કેવળ એક ફિર્કો નાજી અર્થાત દોઝખથી છુટકારો પામનાર છે,બાકીના સર્વે જહન્‍નમી છે,તે પૈકી મૌવદૂદી ફિર્કો પણ છે,નાજી ફિર્કો,એહલે સુન્‍નત વલ જમાઅત સહાબા (રદિ.)નો માર્ગ છે,આથી મૌવદૂદી ફિર્કો,સુન્ની લેખાશે નહિં. એજ ખુદાપાક વધુ જાણનાર છે.(મકતૂબાતે શૈખુલ ઈસ્લામઃ મકતૂબ નં.૧૩૮,પુષ્ઠ ૩૯૪ થી ૪૦૧)

Log in or Register to save this content for later.