ચૌદમી સદીના અંતે કુર્આનિય જલસાઓ.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 94-95)

સવાલ(૧૪–૧૪)ઃ–          આજકાલ એક ચળવળ ચાલી રહી છે,જેનો હેતુ એ છે કે કુર્આન શરીફ ઉતરવાને ૧૪૦૦ વરસ પુરા થઈ રહયા છે,એ અવસરને ભાગ્યશાળી સમજી કુર્આન શરીફની તા’લીમ અને તેનો સંદેશો અને તેની બુઝુર્ગી અને તેની તારીખ અને સચ્ચાઈનેા ખાસ કરી મુસલમાનો અને આમ રીતે દુનિયાની બધી કૌમો સમક્ષ પેશ (રજૂ) કરવામાં આવે,અને તેના માટે જલસો યોજવામાં આવે,અને કુર્આનના માહિર મુસલમાનો દ્રારા,ગેરમસ્લિમ તકરીર કરનારા અને સાંભળનારા ઓને બોલાવી તેમના સમક્ષ તકરીર અને તહરીરથી કુર્આનની તા’લીમ અને તેના સંદેશા ને પેશ કરવામાં આવે,અને મુસલમાનોને કુર્આનની તા’લીમ પર અમલ કરવાની તર્ગીબ દેવામાં આવે, અને ગેરમુસ્લિમ કૌમોને કુર્આન શરીફની તા’લીમની જાણ કરવામાં આવે,અને જલસા એા યોજવામાં આવે,એમાં શરીઅતની રૂએ કાંઈ બુરાઈ તો નથી ? અને શું આ કાર્યવાહી શરીઅતની રૂએ સારી ગણાશે ? આ કાર્યવાહી માટે મુસલમાનો પાસેથી ચંદો કરવો અને તે માટે કમીટી બનાવવી અને એ ચંદાની રકમથી જલસા કરવા અને કુર્આનિય તા’લીમની કિતાબો છપાવવામાં ખર્ચ કરવો,શું એ અલ્લાહના રસ્તામાં ખર્ચ કરેલો ગણાશે ? અથવા નહી ? કુર્આન શરીફની ૧૪૦૦ વરસની યાદગાર બનાવવા માટે ખાસ કરી આરબ મુલ્કોએ ઘણો બંદોબસ્ત કર્યો છે,અને હિન્દુસ્તાનમાં પણ ઘણાં મોટા શહેરોમાં આવી જાતના જલસાએા યોજવા બંદોબસ્ત થઈ રહયો છે,તો આ રીતે દિવસ અને તારીખ નકકી કર્યા વગર વરસના કોઈ પણ દિવસ અથવા તારીખમાં આ પ્રમાણેના જલસાઓ કરવામાં કંઈ બુરાઈઓ તો નથી ?

જવાબ(૧૪–૧૪)ઃ–          કુર્આન શરીફનો સંદેશો તેની તા’લીમો અને હિદાયતોને દુનિયાની બધી કૌમો સમક્ષ રજૂ કરવું દરેક મુસલમાનનો ફરઝ છે,બધા મુસલમાનો પર ફરઝ છે કે પહેલાં પોતે પુરી રીતે કુર્આન શરીફની તા’લીમો ઉપર અમલ કરે,તે પછી દરેકથી બની શકે એ પ્રમાણે બધા ઈનસાનો સુધી તેને પહોંચાડવાની કોશીષ કરે,એના માટે ના તો વરસની કોઈ ખુસુસિય્યત છે ના દિવસની કે ના સદીની,અને ૧૪૦૦ વરસના જશનની પણ જરૂરત નથી,પરંતુ મુસલમાનોએ કુર્આનની તા’લીમનો રાત– દિવસ પ્રચાર કરવો જોઈએ,જો ૧૪૦૦ વરસના જશને કુર્આનનો મકસદ દીન અને કુર્આનનો પ્રચાર હોય તો તેમાં જાઈઝ હોવામાં કોઈ ઉણપ નથી, પરંતુ શર્ત એ છે કે એમાં શરીઅતની રૂએ બુરાઈઓ ના હોય,આજ કાલ જે રીતે જશન મનાવવામાં આવે છે તેમાં ખેલકૂદ,ફુઝૂલખર્ચી અને માલની બરબાદી અને બેઈમાની અને દેખાવ માટે હોય છે,અને અસલ મકસદ છુટી જાય છે,તો યાદ રાખવામાં આવે કે કુર્આન શરીફના નામ પર એ ગુનાહોને કરવું ગુનાહને વધુ મોટો કરવા સમાન છે, સારાંશ કે દીન અને કુર્આનના પ્રચાર માટે દરેક શકય સબબોને વાપરવું અને તેમાં દામે,દિરમે,કલમે,સખુને કોશીષ કરવું અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવા સમાન છે,પરંતુ જો નામ અથવા દેખાવ માટે હોય તો અને ફુઝૂલખર્ચી હોય, ફુઝૂલ ચીજો હોય અને એક વકતી જશ્ન બનાવી પછી ચુપ થઈ જવું હોય તો એ મના ગણાશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(કિફાયતુલમુફતીઃ૧/૧૪પ)

Log in or Register to save this content for later.