કુર્આન શરીફનું અપમાન કરવું.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 105)

સવાલ(૩૧–૩૧) કંઈક ગેરમુસ્લિમ કિતાબો છાપનારાઓએ થોડાક વરસોથી અકસી કુર્આન શરીફ છપાવ્યા છે,અને એ છપાયેલ કુર્આન શરીફના ઘણાં પાનાંઓ રદ્દી કાગળના અંદર ગયાં છે,અને તે પાનાઓની થેલીએા બની છે,જેનાથી જણાય છે કે ગેરમુસ્લિમ છપાવનારા માત્ર વેપારની દ્રષ્ટ્રિએ જ કુર્આન શરીફ છપાવે છે,અને તેમના સામે જોઈએ તેવી કદર અને કિંમત હોતી નથી,અને એ વાત સ્પષ્ટ છે કે ગેર મુસ્લિમો છપાવતી વખતે અને બુક બાયડીંગ કરતી વખતે કુર્આન શરીફની ઈઝઝત નો ખ્યાલ રાખશે નહિં,તેા શું મુસલમાનોને એનાથી કાંઈ હિદાયત આપી શકાય છે ?

જવાબ(૩૧–૩૧) કુર્આન શરીફ અલ્લાહના શઆઈર– નિશાનીઓમાંથી છે,જેની ઈઝઝત કરવી જરૂરી છે,એની બેઈઝઝતી વેઠી શકાય એમ નથી,ઉલમા અને મુસ્લિમ વડીલોની ફર્ઝ છે કે ડેપ્યુટેશન રૂપી તે છાપનાર સાથે વાતચીત કરી ધમકી આપે,જો તે રોકાય જવાનું ઈતમીનાન આપે તો બહું સારૂ,નહિંતર હાકિમો પાસે કેસ કરે જો મકસદ હાસિલ થાય તો સારૂ નહિ તો પબ્લીકને ધ્યાન અપાવી પેકેટીંગ કરવામાં આવે અને તે છાપખાનાની કોઈ કિતાબ ન ખરીદે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.