Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 89)
સવાલ(૪–૪)ઃ– અમારે ત્યાં ઓરતોમાં એવી માન્યતા છે કે,મહોર્રમ માસમાં ઘરના અંદર કરોળિયાના જાળાં બંધાય છે,તેને સાફ કરવા ન જોઈએ, કારણ કે એના થી ગુનોહ થાય છે,ઈમામ હસન (રદિ.) જે જગ્યાએ સંતાયા હતા,તેના ઉપર કરોળિયાએ જાળ બાંધ્યા હતા,એનો ખુલાસો લખશો ?
જવાબ(૪–૪)ઃ– આ માન્યતા તદ્દન ખોટી અને દલીલ વગરની છે,ઈમામ હસન (રદિ.)એવા ડરપોક અને બિકણ ન હતા કે જાળામાં સંતાય આશરો લે,એ તદ્દન તેમના ઉપર સ્પષ્ટ બોહતાન છે,એવી શરીઅત વિરૂધ્ધ માન્યતાઓથી અવશ્ય બચવું જોઈએ, કારણ કે ઈમાન જવાનો ખતરો રહે છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શર્હે અકાઈદઃ ૧પ૪)
Log in or Register to save this content for later.