Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 87-88)
સવાલ(ર–ર):– અલ્લાહ અને તેના રસૂલ હઝરત મુહંમદ (સ.અ.) ને નહીં માનનારાઓ કાફિર છે,અને બધા જ કાફિરો દોઝખી છે,તો જાણતા હોવા છતાં ન માનનારાઓને કે મુસ્લિમ સિવાયની દરેક વ્યકિતને કાફિર ગણી શકાય ? ઈસ્લામ પુનઃ જન્મને માનતો નથી,વળી મુસલમાનને ત્યાં જનમ્વું કે કાફિરને ત્યાં જનમ્વું ઈન્સાનના હાથની વાત નથી,જયારે કોઈ વિધર્મીને ત્યાં કે જંગલી અવસ્થામાં રહેલી કૌમમાં જન્મેલુ બાળક કંઈક જુદા વાતાવરણમાં મોટુ થાય છે, તે ઈસ્લામના શિક્ષણથી સદા વંચિત જ રહે છે,અને એજ અવસ્થામાં મૃત્યુને આધિન થાય છે, શું આ તેનું દુર્ભાગ્ય નથી ? આમાં પેલા બાળકનો શો દોષ હોય શકે ?
જવાબ(ર–ર): – ઈમાન,શરીઅતની પરિભાષામાં ઈસ્લામ ધર્મ (જે હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ઉપર અલ્લાહ તઆલાના તરફથી ઉતારવામાં આવ્યો તે)ની દિલથી તસ્દીક–સત્ય માનવું અને જીભથી ઈકરાર કરવાને કહે છે, જેમકે હદીષે જીબ્રઈલમાં વર્ણન છે. (મિશકાત શરીફઃ૧૧)
અને જે તસ્દીક કરે નહીં જાણી જોઈને જે અજ્ઞાનતાના કારણે,અથવા સામાજિક અવરોધકોના સબબથી ઈનકાર કરે તે કાફિર લેખાશે,જેની મગફિરત થશે નહિં,એ બાબતમાં અજ્ઞાનતા ઉઝર નથી,કારણ કે ઈમાન,પ્રત્યેક માનવી ઉપર શરઈ હુકમ ના હોત છતાં અકલી દ્રષ્ટિએ ફર્ઝ છે,અલ્લાહ તઆલા મુનઈમે હકીકી છે,તેજ સૃષ્ટીનો સર્જનહાર છે,રાત દિવસ તેની નેઅમતોની વર્ષા આપણાં ઉપર છે, પછી તેનો કુફ્ર (નુંગણાપણું) મુર્ખાઈ છે,જેથી બિન મુસ્લિમો, જંગલીઓ,આદિવાસીઓ પણ કાફિર અને હંમેશાના દોઝખી ઠેરશે,તેઓની ધર્મ વિષેની અજ્ઞાનતા માફ નથી,હદીષ શરીફમાં છે કે” કુલ્લુ મવ્લૂદિંય્યૂલદુ અલલ ફિત્રતિ,ફઅબવાહુ યુહવ્વિદાનિહિ અવ યુનસ્સિરાનિહિ અવ યુમજિજસાનિહિ ; અર્થાત દરેક બાળક ઈસ્લામી પ્રાકૃતિક ઉપર જન્મે છે,પછી તેના મા–બાપ તેને યહૂદી અથવા નસરાની અથવા મજૂસી બનાવી આપે છે; (મિશ્કાત શરીફઃર૧)
એટલે બાળકને જો એકલું છોડી દેવામાં આવે તો તે અકકલથી ઈસ્લામ સ્વીકારશે,બીજા ધર્મો નહિં,એવી સલાહિય્યત તેમાં રાખવામાં આવી છે,સોસાયટી કુફ્ર તરફ લઈ જાય છે,ઈસ્લામ તજી બીજો ધર્મ અંગીકાર કરવો એનો દોષ લેખાશે, જેથી દોઝખી ઠરશે. કફત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શર્હે અકાઈદ)
Log in or Register to save this content for later.