Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 97)
સવાલ(૧૭–૧૭)ઃ– ઘણી ઓરતો તબ્લીગી ઈજતિમાઅ્માં જાય છે,જયાં પરદા નો એહતિમામ હોતો નથી,તો શું એવા ઈજતિમાઅ્માં જવું ઓરતોને મોકલવું જાઈઝ છે ? પરદો કેવો હોવો જોઈએ ?
જવાબ(૧૭–૧૭)ઃ– પ્રત્યેક મુસ્લિમ ઉપર પુરૂષ હોય કે સ્ત્રી પોતાની ઈસ્લાહ (સુધારણા) તથા જરૂરી ઈલ્મ હાસિલ કરવું જરૂરી છે,એ હેતુથી ઈજતિમાઅ્માં જતા રોકવું નહિં. અલબત્ત એમાં જ કાંઈ ખરાબી હોય તેનાથી બચવાની અવશ્ય તાકીદ કરવી જોઈએ,આ ફસાદી યુગમાં ઓરતો માટે પરદો (ચાદરથી આખું શરીર ઢાંકવું) વાજિબ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૭૯)
Log in or Register to save this content for later.