Chapter : રોઝહ
(Page : 365)
સવાલ :– (ર) કોઈ ચાંદ કમિટી પોતાને ત્યાં ચાંદ સાબિત થયાની જાહેરાત દૈનિક પેપરો મારફત કરે તો એના આધારે જયાં જયાં પેપરો પહોંચે ત્યાંના લોકો માટે રમઝાન તેમજ ઈદ મનાવવાનો શું હુકમ છે ?
જવાબ :– (ર) દૈનિક પેપરોમાં પ્રગટ થતી ચાંદની ખબર લગભગ તો ચાંદ કમિટીનું લખાણ અને તેના શબ્દો હોતા નથી. ફકત પેપરની બીજી ખબરોની જેમ સામાન્ય અખબારી ઢબની એક ખબર તંત્રી કે પેપરના કોઈ પ્રતિનિધિ તરફથી હોય છે. માટે શરઈ શર્તો મુજબનું લખાણ અને ખબર ન હોવાથી તેવી ખબરના આધારે રમઝાન કે ઈદ મનાવી શકાય નહી. ચાહે તે પ્રગટ થયેલ ખબર ચાંદ કમિટીના એરિયાના લોકો માટે હોય કે આમ હોય. (શામી–પ/રર૦, રિસાલએ કશ્ફુઝઝુનૂન)(૧૭ મુહર્રમ ૧૪૦૩ હિ.સ.)
Log in or Register to save this content for later.