Chapter : ઝકાત
(Page : 232-235)
સવાલ :– જમીન માલિક એટલે ઝકાત આપનાર ભાઈ મકાનના ધાબા ઉપર પહેલા માળ ઉપર પોતાના ઉપયોગ માટે મકાન બનાવી શકે કે કેમ? આ સાથે ધ્યાન રહે કે જમીન ચોખ્ખા પૈસાથી ખરીદેલ છે. દિવાલો તેમજ છત ઝકાતના પૈસાથી બનાવવામાં આવશે.
નીચેના ત્રણ ગાળા મકાનોના માલિક સંપુર્ણપણે ઝકાતના હકદાર ભાઈઓને બનાવવાના છે ઉપરની જગ્યા જેને એફ એસ આઈ કહેવામાં આવે છે તેના માલિક બનાવવાના નથી જે જગ્યામાં મકાન બનાવવાનું છે તે જગ્યા મકાન માલિક પોતાના નામ ઉપર રાખી શકે કે કેમ? તે જમીન ઝકાતના પૈસાથી ખરીદેલ નથી એટલે ઝકાતના હકદાર ભાઈઓના નામ ઉપર જમીન ટ્રાન્સફર કરવી ઝરૂરી છે કે કેમ? કે ફકત ચાર દીવાલો અને ઉપરનો અમલો એટલે સ્લેબની નીચેના ભાગના માલિક ફકત તેમને બનાવી શકાય કે કેમ?
હાલમાં ઈન્ડિયામાં તેમજ પરદેશમાં બહુમાળી મકાનોમાં શોપિંગ કોમ્પલેક્ષોમાં ફકત ચાર દિવાલો અને છતની નીચેના ભાગની માલિકીના ધોરણે મિલકતો વેચવામાં આવે છે. જમીન મૂળ માલિકની રહે છે અને દુકાન અથવા ફલેટની માલિકી જે તે વેચાણ રાખનાર વ્યકિતની હોય છે. ટૂંકમાં આ સવાલમાં જમીન સિવાય ફકત નીચેના ત્રણ ગાળા મકાનોના માલિક ઝકાતના હકદાર ભાઈઓને બનાવી શકાય કે કેમ?
આ સાથે હિન્દુસ્તાનના મિલકતોના કાયદા અનુસાર જમીન અને જમીનની ઉપરના ભાગ સિવાય મિલકતો વેચાણ રાખી શકાય છે અને તબદીલ કરી શકાય છે? તેમજ માલિકી હક મેળવી શકાય છે, જેવું કે ફલેટની શકલમાં, દુકાનની શકલમાં.
નોંધ :– સવાલમાં જણાવ્યા પ્રમાણે જે રકમથી મકાન બનાવવામાં આવી રહૃ।। છે. તેમાં પંચોતેર ટકા રકમ ઝકાતની છે અને ઝકાતની ”તમલીક” ઝરૂરી છે. તો શું સવાલમાં વર્ણવેલ સૂરતમાં (કે જમીન પોતાના નામ પર રાખે અને ફકત ફલેટના માલિક બનાવે) તમલીક સંપૂર્ણ થશે કે નહિ? જયારે કે હિન્દુસ્તાની કાયદા પ્રમાણે જમીન અને ફલેટના ઉપરના ભાગ સિવાય ફકત ફલેટ પણ વેચી શકાય છે તો અહિંયા પણ જયારે ઝકાતના હકદાર આ કાયદા પ્રમાણે આ ફલેટ વેચવાનો હક રાખે છે તો શું આવી સૂરતમાં સંપૂર્ણ તમલીક થયેલી ગણાશે?
બીજી વાત રપ ટકા રકમ ઝકાતની નથી તેનો મતલબ આ રકમ ”હિબા” તરીકે છે, તો સવાલ એ થાય છે કે ”હિબા”માં તો જે વસ્તુ હિબા તરીકે આપવામાં આવે છે તે બિલકુલ ફારિગ કરીને આપી દેવામાં આવે છે. હિબા આપનારને ”મિલ્ક”થી કોઈ સંબંધ ન હોવો જોઈએ, જયારે કે અહિંયા તો આ ફલેટ હિબા કરનારની જમીન પર છે. તો શું આ પ્રમાણે મકાન આપવું સહીહ ગણાશે?
જમીન માલિક (ઝકાત આપનાર) ઝકાતના હકદારોને ફકત મકાન જેટલી ઉંચાઈએ બન્યું છે તેટલો જ હક આપે છે (જેમકે આજના કાયદા પ્રમાણે આ પ્રમાણે વેચી શકાય છે) તેથી ઉપરનો હક આપતો નથી તો શું આ મકાનો પર હવે આ માણસ પોતાનું મકાન નીચેના મકાનવાળાની રજા વગર બનાવી શકે છે કે નહિ ?
જવાબ :– કોઈ વ્યકિત બહુમાળી મકાન બનાવી નીચેનું મકાન કોઈ ઝકાતની હકદાર વ્યકિતને ઝકાતરૂપે સંપૂર્ણ માલિકી ધોરણે આપે અને તેનો કબઝો પણ તેને સુપરદ કરે અને ભવિષ્યમાં નવેસરથી નીચેનું મકાન બનાવવાનું થાય તો ઝકાતરૂપે મકાન લેનાર હકદારને તે જમીનમાં મકાન બનાવવાનો અધિકાર બાકી હોય તો આ પ્રમાણે માલિક બનાવી નીચેનું મકાન ઝકાતરૂપે આપવાથી ઝકાત અદા થઈ જશે અને હિબારૂપે વાપરેલી રકમના પ્રમાણમાં મકાનની તા’મીરનો સ્વતંત્રરૂપે કબઝો મળી ગયેલો ગણાશે. આવા બહુમાળી મકાનોમાં ઉપર નીચેની વહેંચણી અને માલિકી અલગ અલગ ગણાય છે. ચાહે તેમાં ઘણી વસ્તુઓ બાબત નીચેના મકાનવાળાનો હક ઉપરના બાંધકામમાં અને ઉપરના મકાનવાળાનો હક નીચેના બાંધકામમાં બાકી રહે છે, પરંતુ આવા અમૂક હકકો લાગુ રહેવાથી મિલ્કતના સ્વતંત્ર કબઝામાં કોઈ નુકશાન નહીં ગણાય અને ઝકાત અદા થવામાં અવરોધરૂપ નહીં ગણાય. (બહર –૭/૩૦)
અને પૂછેલી સૂરતમાં જયારે ઝકાત આપનાર ઝકાત લેનારને ફકત નીચેના મકાનનો જ માલિક બનાવે અને નીચેના મકાનના ધાબા ઉપર પોતાનું મકાન બનાવવાની અને ધાબા ઉપર પોતાનો માલિકી હક બાકી રહેવાની ચોખવટ કરી ફકત નીચેનું મકાન ઝકાતરૂપે આપે તો ઝકાત આપનાર ધાબા ઉપર પોતાનું મકાન બનાવી શકે છે અને નીચેના મકાનની સંપૂર્ણ સ્વતંત્ર માલિકી ઝકાત લેનારની અને નવેસરથી બાંધકામના તેના અધિકારની ચોખવટ સાથે તે મકાનનો દસ્તાવેજ કરી શકે છે.
Log in or Register to save this content for later.