[૧૮૪] સફીર ઝકાતની રકમ સફર ખર્ચમાં વાપરે

Chapter : ઝકાત

(Page : 222-223)

સવાલ :–  માહે રમઝાન મુબારકમાં ઈદારા તરફથી ચંદા માટે જવાનું થાય છે, ચંદામાં ૯૯ ટકા ઝકાતની રકમ આવે છે, ઓફિસ તરફથી જુઝ ખર્ચ એડવાન્સમાં આપવામાં આવે છે, ખર્ચ લગભગ રપ૦૦/– જેવો થાય છે ઝકાતની રકમનો તમ્લીક વગર ઈસ્તેઅમાલ ઠીક નથી. ચંદો કરનાર જાતે ઝકાતનો હકદાર છે એટલે સફર ખર્ચ જેટલી રકમનો પોતે માલિક બની ઈસ્તેઅમાલ કરે જેથી ગુનેહગાર ન બને તો જાઈઝ છે કે કેમ? અથવા આપના તરફથી કોઈ આસાન સૂરત હોય તો તહરીર ફરમાવશો.

જવાબ :– મદ્રસાના સફીર પોતાનો માસિક પગાર (ચંદાનું કામ કરવાના મહિનાનો પગાર) મુહતમિમની મંજૂરીથી ઝકાતની રકમમાંથી લઈ શકે છે અને પોતાના પગારની રકમ સફરખર્ચમાં વાપરી પાછળથી મદ્રસામાંથી વસૂલ કરી લે અને ઝકાતની રકમ મુહતમિમની મંજૂરીથી સફર ખર્ચ માટે કર્ઝ પેટે પણ લઈ શકે છે અને પછી ઝકાતના હિસાબમાં જમા કરી લેવામાં આવે.              (કિ.મુફતી–૪/ર૬૯)

               સફીર ઝકાતનો હકદાર હોવાના આધારે પગાર ઉપરાંત ઝકાતની રકમનો પોતે માલિક બની જાય એ દુરૂસ્ત નથી, કારણ કે સફીર ગરીબ તલબા માટે ઝકાત વસૂલ કરવાનો વકીલ છે, એટલે ઝકાતની રકમ પોતે માલિક બની ન લઈ શકે.           (શામી–ર/૧૧)

Log in or Register to save this content for later.