Chapter : ઝકાત
(Page : 221-222)
સવાલ :– એક બેવા ઓરત છે, તેની પાસે સાત તોલા સોનું છે તેની પાસે બીજી કોઈ મિલ્કત નથી. તેને બે બાળકો છે જેમની ઉંમર ૧ર – ૧પ વર્ષની છે અને આ ઓરતનો ભાઈ તેમજ મામા વિદેશમાં છે, તેઓ આ વિધવા બહેનને ઝકાત આપવા માંગે છે જેનાથી તે ઓરત આવકનું સાધન બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે તો તે ઓરત ઝકાતની રકમ લઈ પોતાનું આવકનું સાધન બનાવી શકે છે અથવા તેની ઔલાદ લઈ શકે અને આવકનું સાધન બનાવી શકે ?
જવાબ :– જો મઝકૂર બેવા ઓરત પાસે સાત તોલા સોના સાથે પ૦ નકદ પૈસા કે એક રૂપિયો પણ રોકડો હશે અથવા ઝરૂરતથી વધારાની કોઈ નાની વસ્તુ પણ હશે તો તે માલદાર ગણાશે, ભાઈએ તેને ઝકાત આપવી જાઈઝ નથી. અલબત્ત, જો બેવાના બાલિગ કે નાબાલિગ છોકરાઓ પાસે કોઈ માલદારી પાત્ર મૂડી મિલ્કત ન હોય તો છોકરાઓના મામા છોકરાઓને એટલે કે ભાણ્યાઓને ઝકાત આપી શકે છે, પરંતુ ઝકાત છોકરાઓની માલિકીની ગણાશે, તેઓની માલદાર માં તેને પોતાના ઉપયોગમાં નહિ લઈ શકે. (શામી–ર)
Log in or Register to save this content for later.