[૧૮પ] સોનાની ઝકાતમાં વેચાણ કિંમતથી ઝકાત

Chapter : ઝકાત

(Page : 223)

સવાલ :– હાલ આપણી પાસે જે સોના – ચાંદીની જણસ હોય છે તે ખરીદવા જઈએ તો અલગ ભાવ અને વેચવા જઈએ તો અલગ ભાવ હોય છે, તો ઝકાત કાઢવા માટે કયો ભાવ ગણવો જોઈએ? બીજું કે જણસ વારંવાર પહેરવાથી તેને ઘસારો લાગે છે અને કેટલીવાર તેમાં તાંબુ ઉમેરેલું હોય છે જેથી વેપારી જણસની ઘટ્ટ ગણીને ભાવ ગણે છે તો ખરીદવા વેચવાનો ભાવ અલગ હોવાથી ઝકાત કાઢવા આપણી જણસની કિંમત કેવી રીતે ગણવી?

જવાબ :–  જયારે ઝકાતનું વર્ષ પૂરૂં થાય ત્યારે તે સોનાનો જે વેચાણ ભાવ હોય એટલે કે તે દિવસે વેપારી આપણી જણસોનો જેટલો ભાવ ગણે તે ભાવથી ઝકાત આપવાની રહેશે, ખરીદ ભાવથી નહિ આપવી પડે.      (શામી–ર)

Log in or Register to save this content for later.