Chapter : ઝકાત
(Page : 215)
સવાલ :– ઝકાત માટે દર માસે પ થી ૧૦ હજારની આવક હોય અને રમઝાન માસ સુધી ૪પ હજારની આવક થઈ હોય તો પૂરા ૪પ હજારની ઝકાત આપી દે તો ચાલે ?
જવાબ :–ઝકાતનું વર્ષ પૂરૂં થતાં પહેલાં ઝકાત આપવી જાઈઝ છે અને પૂરા વર્ષ દરમ્યાન સંભવિત ઝકાતપાત્ર આવકની ઝકાત પહેલેથી આપી દેવી એ પણ જાઈઝ છે. અલબત્ત, આવી સૂરતમાં ઝકાતની અદાયગીના સહીહ થવા માટે ઝકાત આપતી વખતે સાહિબે નિસાબ માલદાર હોવું ઝરૂરી છે. (શામી–ર/ર૭)
Log in or Register to save this content for later.