Chapter : ઝકાત
(Page : 214-215)
સવાલ :– અહીં રમઝાન શરીફમા સાઈલો સેંકડોની સંખ્યામાં નીકળી પડે છે, તેમને ખાલી હાથે પાછું ન વારતા પ૦ પૈસા કે ૧–ર રૂપિયા આપવામાં આવે છે. આમ, સેંકડો–હજારો રૂપિયા અપાઈ જાય છે, તો આવી રીતે આપેલ રૂપિયાની ગણત્રી ઝકાતના હિસાબમાં લઈ શકીએ?
જવાબ :– જો આવનાર સાઈલો મુસલમાન હોય અને એ વાતનો સંતોષ હોય કે તેઓ પાસે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર રોકડ રકમ ન હોય તો આવી આપેલી છુટક રકમ આપતી વખતે ઝકાતની નિય્યતથી આપી તેને ઝકાતના હિસાબમાં લઈ શકાય છે, કારણકે રકમ લેનાર સાઈલના રકમ ખર્ચ કરી નાખ્યા પછી તેમાં ઝકાતની નિય્યત કરવી દુરૂસ્ત નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.