Chapter : રોઝહ
(Page : 360-362)
સવાલ :– હમારા ગામની કોઈ વ્યકિત જેને હમો ઓળખતા હોય તે વ્યકિત મુંબઈથી હમોને ફોન ઉપર ખબર આપે કે મુંબઈ શહેરમાં ચાંદ દેખાયો છે, એવું એ’લાન આખા મુંબઈ શહેરમાં કરવામાં આવ્યું છે તો હમારાથી તે વ્યકિતની વાત માની હમારા ગામમાં અમલ થઈ શકે યા નહિ ?
જવાબ : – ટેલીફોન દ્વારા આવેલી ચાંદની ખબર માન્ય રાખવામાં ઘણી તફસીલ છે અને માન્ય રાખવા માટે ઘણી શરતો છે જેનું વર્ણન આ પ્રમાણે છે કે જો,
(૧) ટેલીફોન પર ખબર દેનાર મોઅતબર દીનદાર માણસ હોય (જેને શરીઅતમાં દીનદાર ગણવામાં આવે).
(ર) સામે ટેલીફોન ઉઠાવનાર ખબર દેનારને સારી રીતે ઓળખતો હોય અને તેના અવાજને પણ બરાબર ઓળખતો હોય અને પૂરો વિશ્વાસ હોય કે આ ફલાણો માણસ જ બોલે છે.
(૩) તે બોલનારને વિશ્વાસપાત્ર સમજતો હોય.
(૪) ખબર દેનાર આ શબ્દોમાં ખબર આપે કે,
૧ – મેં પોતે ચાંદ જોયો છે. ર – અથવા ફલાણા દીનદાર માણસે જેને હું સારી રીતે ઓળખું છું. મારી સામે પોતે ચાંદ જોવાનું વર્ણન કર્યુ છે. ૩ – અથવા મારી સામે ફલાણી ચાંદ કમિટીએ શરઈ સુબૂત લઈને ચાંદ થયાનો ફેસલો કર્યો છે અને હું તે ચાંદ કમિટીના બધા સભ્યોને બરાબર ઓળખું છું. તે બધા મસાઈલથી વાકિફ અને દીનદાર લોકો છે. ૪ – અથવા ફલાણી જગ્યાના મોટા આલિમ અથવા મુફતીએ મારી સામે શરઈ સુબૂત લઈને ચાંદ થયાનો ફેસલો કર્યો છે અને હું તેમને બરાબર ઓળખું છું તે બરાબર દીનદાર અને ભરોસાપાત્ર છે.
(પ) અને જે ભાઈ ફોન પર ચાંદની ખબર સાંભળનાર છે તે પણ મોઅતબર, દીનદાર અને ચાંદ વિષેના મસાઈલથી વાકિફ હોય.
આ બધી શરતો પૂરતી હોવા પછી જોવામાં આવશે કે રમઝાનના ચાંદની ખબર છે કે ઈદના ચાંદની.
જો રમઝાનના ચાંદની ખબર ઉપરની શરતો મુજબ હોય અને બીજી જગ્યાઓએ ફોન કરીને આ ખબરના ચોક્કસ હોવાની બરાબર ચકાસણી થઈ જાય તો આવી ફોનની ખબરને માન્ય રાખી શકાય છે અને મકામી હિલાલ કમિટી આ ફોનની ખબર પર રમઝાનના ચાંદનો ફેસલો કરી શકે છે.
(શામીઃ ર/ ૯૧, રૂયતે હિલાલ પ૧, નિઝામુલ ફતાવા : ર૯)
અને જો ઈદના ચાંદની ખબર હોય તો ફકત એક બે જગ્યાઓના ઉપરની શરતો મુજબના ફોનથી પણ એવી જગ્યાએ ચાંદનો ફેસલો ન થઈ શકે જયાં ચાંદ કમિટી છે અથવા કોઈ એક અથવા અનેક એવા આલિમો મવજૂદ છે કે જે ચાંદ બાબતના મસાઈલથી પૂરી રીતે વાકિફ છે, કારણ કે ઈદના ચાંદના સબૂત માટે ચાંદ જોનારની ગવાહી ઝરૂરી છે અને ફોનની ખબરને શરીઅતની દ્રષ્ટિએ ગવાહી ન કહી શકાય અને આ હુકમ મતલઅ સાફ હોવા, ન હોવાની બન્નેવ સૂરતોને લાગુ પડે છે. (શામી : ૯૧, ૯ર ભાગ – ર / રૂયતે હિલાલ : પ૦)
હા, જો વિવિધ દિશાઓના અલગ અલગ દસથી પંદર ઠેકાણેથી ૧૦ – ૧પ ફોન ઉપરની શરતો મુજબ આવે તો તેને માન્ય રાખી મકામી ચાંદ કમિટી ઈદનું એલાન પણ કરી શકે છે અને તેણે કરવું જોઈએ. (શામી : ૬૯ ભા. ર / રૂયતે હિલાલ ૪૩) (૬, ઝૂ કઅ્દહ ૧૪૦૧ હિ.સ.)
Log in or Register to save this content for later.