Chapter : રોઝહ
(Page : 354)
સવાલ :– (૮) સઉદી અરબથી આવેલી ચાંદની ખબરને માન્ય રાખવામાં આવે કે કેમ ?
જવાબ :– (૮) સઉદી અરબ તમારા સ્થળ ટોરંટોથી ઘણું જ દૂર પૂર્વ– દક્ષિણમાં આવેલું છે, એટલે એહતિયાતનો તરીકો એ જ છે કે સઉદી અરબની ખબરને આધાર માધ્યમ ન બનાવતાં તમારાથી નઝદીક કોઈ એવા સ્થળની ખબર ને આધાર માધ્યમ બનાવવામાં આવે, જયાં ચાંદ દેખાતો હોય અને મોઅતબર ખબર તમારા સુધી પહોંચી શકે, જો તમારે ત્યાં બિલકુલ જ પહેલીનો ચાંદ ન દેખાતો હોય તો સઉદીના ચાંદની મોઅતબર ખબર માન્ય રાખવાની ગુંજાઈશ તો છે, પરંતુ તમારે ત્યાં કમરી ઈસ્લામી મહિનો ર૮ દિવસનો અથવા ૩૧ દિવસનો ન થવો જોઈએ. (શામી – ર)
Log in or Register to save this content for later.